બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
Khyati
Last Updated: 01:48 PM, 21 March 2022
ઘરે દિકરાનો જન્મ થયો હોય ત્યારે પરિવાર કેવો ખુશ હોય ? બાળકના માતા પિતા સહિત પરિવારજનોમાં એવો હરખ હોય કે ન પૂછો વાત. ઘરમાં કિલકારીઓ ગુંજી ઉઠી હોય અને દાદા દાદી અને માતા પિતા બનવાનો અનોખો ઉમંગ અતૂટ હોય. અને એકાએક એવી ઘટના બની જાય કે જે તમે સપનેય ન વિચાર્યુ હોય. આવુ જ બન્યુ રાજકોટમાં.
માતાના પગ નીચે બાળક દબાઇ જતા મોત
રાજકોટના જાણીયાણી પરિવારની આ વાત છે. ઘરમાં દિકરાનો જન્મ થયો હતો. પરિવાર દિકરાના આગમનથી ખુશખુશાલ હતો પરંતુ કુદરતને આ મંજૂર ન હતું. એકા એક એવી ઘટના બની ગઇ કે હાલ આ પરિવારે પોક મૂકીને રડવાનો વારો આવ્યો છે. 40 દિવસનું બાળક સુઇ ગયુ હતું, બાજુમાં તેની માતા પણ સુઇ ગઇ હતી. પરંતુ ઉંઘમાં ને ઉંઘમાં બાળકની માતાએ પડખુ ફેરવ્યુ અને તેના પગ નીચે જ 40 વર્ષનું બાળક દબાઇ ગયુ. કમનસીબે ફુલ જેવુ બાળત મોતને ભેટ્યું.
બાળકની માએ શરદીની દવા લીધી હતી
રાજકોટના કોઠારીયા રોડ પરના નીલકંઠ પાર્કનો આ બનાવછે. બાળકની માતાને શરદી થઇ હોવાથી તે દવા લઇને ઉંઘી ગઇ હતી. શરદીની દવા હોવાથી માતા એવી ઘસઘાસટ ઉંઘી ગઇ કે તેને કદાચ ધ્યાન જ ન રહ્યુ કે બાળક પણ તેની બાજુમાં સુતુ છે. માતા પડખુ ફેરવીને સુઇ ગઇ અને બાળક તેના પગ નીચે દબાઇ ગયુ. 40 દિવસનું બાળક તો કોમળ ફુલ જેવુ હોય. બાળકનો શ્વાસ રુંધાઇ જતા બાળકનું એરેરાટીભર્યુ મોત નીપજ્યુ. મૃતક બાળકનું નામ વેદ જાણીયાણી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઇને પરિવારમાં ભારે શોકની લાગણી ફરી વળી છે. માતાના આંખમાંથી આંસુ રોકાવાનુ નામ નથી લઇ રહ્યા. એક બાળકના આગમનને લઇને માતા પિતાના મનમાં રહેલા સમણાં પળવારમાં જ ચકનાચૂર થઇ ગયા..
પુત્રને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો
શનિવારે રાત્રે માતા કાજલબેન શરદીની દવા લઇને સૂઇ ગયા હતા. બાળકને શરદીનો ચેપ ન લાગે તે માટે તેમણે વેદને થોડો કમર પાસે સુવડાવ્યો હતો. જો કે રવિવારે વહેલી સવારે પતિ રવિભાઇએ જ્યારે પુત્રની સ્થિતિ જોઇ તો ચોંકી ગયા. માતા કાજલબેનના પગ નીચે વેદ દબાયેલો જોવા મળતા તેમણે પુત્રને બહાર કાઢ્યો અને તાત્કાલિક હોસ્પિટલ લઇ ગયા. જ્યાં પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. સમગ્ર ઘટનાને પગલે માતા પિતાના હૈયાફાટ રુદનથી શોકની લાગણી ફરી વળી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime