બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 3 girls drowned in Narmada canal near Mehsana
Kishor
Last Updated: 07:20 PM, 25 May 2023
મહેસાણાના કડી પંથકમાં ચકચારી ઘટના સામે આવી છે. જેમાં મામાના ઘરે વેકેશન કરવા આવેલ 3 કિશોરીઓ વરખડીયા ગામે નર્મદાની કેનલમાં કપડા ધોવવા ગઈ હતી. આ દરમિયાન પગ લપસતા ત્રણેય અકસ્માતે કેનાલમાં ખાબકી હતી. જે મામલે જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો અને લોકો તથા રેસ્ક્યુ ટીમ દોડી આવી હતી. જ્યા બચાવ કાર્ય હાથ ધરી એક સગીરાને બચાવી લીધી હતી. જ્યારે બે સગીરાની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહેસાણા ન્યૂઝ: કડીની નર્મદા કેનાલમાં ત્રણ કિશોરીઓ ડૂબી, સ્થાનિક તરવૈયાઓએ એક કિશોરીને પાણીમાંથી જીવિત બચાવી લીધી, જ્યારે બે કિશોરીઓ નર્મદાના પાણીમાં થઈ ગરકાવ#mehsana #vtvgujarati pic.twitter.com/EU032c7le7
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 25, 2023
ફાયર વિભાગની ટીમ અને સ્થાનિકોએ હાથ ધરી શોધખોળ
કડીના વરખડીયા ગામે બે વિરમગામ તાલુકાની અને એક માંડલ તાલુકાની કિશોરી ડૂબી ગયાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. વિરમગામના નીલકી ગામની પૂજા નાનુભાઈ ભરવાડ (ઉં.વ.18) પોતાના માસા માતમ ભાઈના ઘરે તથા પિંકી સેનાભાઈ ભરવાડ (ઉં.વ.14) મામા મનુભાઈ ભરવાડના ઘરે અને ભરવાડ કિસાબેન કનુભાઈ પોતાના મામા ભરવાડ કિરણભાઈના ઘરે વેકેશન કરવા આવી હતી. આ દરમિયાન આજે બપોરે નર્મદા કેનાલમાં કપડાં ધોવા ગઈ હતી. જ્યા ત્રણેયના પગ લપશી જતા ત્રણેય પાણીમાં પડી ગઈ હતી. આ વેળાએ તરતા આવડતું હોવાથી કિસા ભરવાડ તાત્કાલિક બહાર આવી ગઈ હતી. જેને અવાજ કરતા આજુબાજુના લોકો દોડી ગયા હતા.
બે કિશોરીઓ નર્મદાના પાણીમાં થઇ ગરકાવ
બાદમાં હકીકત જાણી સ્થાનિક પોલીસને જાણ કરતા બાવલુ પોલીસ અને ફાયર ફાઈટરના તરવૈયાઓ વરખડિયા નર્મદા કેનાલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યા તરવૈયાઓ સહિતનાઓએ કિશોરીઓની શોધખોળ હાથ ધરી હતી. જો કે બે દીકરીઓની હજુ કોઈ ભાળ ન મળતા પરિવારજનોના જીવ ઉચ્ચક થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime