બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Premal
Last Updated: 04:03 PM, 3 September 2022
મહિલાઓએ આ વાતોનુ ખાસ ધ્યાન રાખવુ
પોતાના ઘરમાં દરેક સુખ-સુવિધા રાખવા માટે માણસ મહેનતથી લઇને અનેક પ્રકારના ઉપાય અને પૂજા-અર્ચના પણ કરે છે. જો કે, આ દરમ્યાન માણસથી જાણે-અજાણે એવી ઘણી ભૂલો થાય છે, જેના કારણે માણસને મહેનત અને ઉપાયનુ ફળ મળતુ નથી. એવામાં અમુક વાતોનુ ધ્યાન રાખીને આ પ્રકારની ભૂલોથી બચી શકાય છે. જેમાંથી એક મહિલાઓ દ્વારા સવારે કરવામાં આવતુ સ્નાન છે. હાલમાં જીવનમાં મહિલાઓ ન્હાયા વગર ઘણા કામ કરે છે, પરંતુ કેટલાંક એવા કામ છે, જેને ન્હાયા વગર ના કરવા જોઈએ.
તુલસીમાં જળ
ઘરમાં તુલસી લગાવી અને તેની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. મહિલાઓ દરરોજ પૂજા કર્યા બાદ તુલસીને જળ અર્પણ કરે છે. જો કે, ક્યારેય પણ ન્હાયા વગર તુલસીને જળ ના ચઢાવવુ જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાંથી જતી રહે છે.
પૈસા અડવા
પૈસા અથવા ધન બધાને સારું લાગે છે. જેને માં લક્ષ્મીનુ રૂપ માનવામાં આવ્યું છે. એવામાં ક્યારેય પણ ન્હાયા વગર પૈસાને હાથ અડાવવો ના જોઈએ. માન્યતા છે કે આમ કરવાથી માં લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.
વાળમાં કંઘી
વાળમાં કંઘી કરતા પહેલા અવશ્ય સ્નાન કરી લેવુ જોઈએ. સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ જ વાળને ખોલવા અને ત્યારબાદ કંઘી કરવા જોઈએ. આમ ના કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે.
ભોજન કરવુ
આમ તો ન્હાયા વગર રસોઈ ઘરમાં ના જવુ જોઈએ. પરંતુ આજકાલની ફાસ્ટ લાઈફમાં મોટાભાગની મહિલાઓ ન્હાયા વગર ભોજન અથવા બ્રેક ફાસ્ટ કરે છે. આમ કરવાથી બચવુ જોઈએ. ન્હાયા વગર ભોજન કરતા એક તો બિમાર થવાનુ જોખમ રહે છે. બીજી તરફ નકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ