બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Will there be an alliance between Congress and AAP in Gujarat? Statement of Isudan Gadhvi
Malay
Last Updated: 02:35 PM, 7 August 2023
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે. લોકસભાની ચૂંટણી પહેલા બંને પાર્ટીઓ ગઠબંધન કરશે. તો ઈસુદાન ગઢવીના દાવા અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે,અમને હજુ સુધી આ અંગે કોઈ જાણકારી મળી નથી, ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે.
INDIA ગઠબંધન હેઠળ લડાશે ચૂંટણી: ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એટલે કે 'INDIA'નું ગઠબંધન ગુજરાતમાં પણ લાગું છે, ગુજરાતમાં પણ અમે સીટોની આખી તપાસણી કરી રહ્યા છીએ. 'INDIA'થી ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે. ભાજપને ખબર છે કે 2024માં 'INDIA' NDAને હરાવી દેશે.
બંને પાર્ટીઓ વચ્ચે બેઠકોની વહેચણી થશેઃ ઈસુદાન ગઢવી
કોંગ્રેસ-AAPના ગઠબંધનને લઈને તેમણે જણાવ્યું કે, આ ગઠબંધન ગુજરાતમાં પણ લાગું પડશે. અમે પણ અહીંયા ગઠબંધનમાં સીટોની વહેચણી કરીને લડવાના છીએ. હજુ તો પ્રાઈમરી તબક્કા પર છે. આગળ જતાં ઈન્ડિયાના ગઠબંધનમાં ગુજરાતમાં ચૂંટણી લડાશે. આ વખતે એટલી ખાતરી સાથે કહીએ છીએ કે ઈન્ડિયા ગઠબંધનમાં અમે વ્યવસ્થિત રીતે સીટોની વહેચણીમાં સક્સેસ રહ્યા તો ભાજપ 26માંથી 26 નહીં લઈ જઈ શકે.
ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે: ગુજરાત કોંગ્રેસ નેતા
AAPના ઈસુદાન ગઢવીના દાવા અંગે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ મૌન સેવ્યું છે. કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું કે, અમને હજુ સુધી આ અંગે કોઈ જાણકારી મળી નથી. હાઈકમાન્ડ તરફથી કોઈ પણ માહિતી હજુ સુધી અપાઈ નથી. ગઠબંધન અંગેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે આ અંગે કહ્યું કે, ગુજરાતમાં AAP સાથે ગઠબંધનની કોઈ ચર્ચા નથી થઈ. કેન્દ્રીય નેતૃત્વએ નિર્ણય લીધો હોય તો અમને જાણ નથી. VTV ન્યૂઝને કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ગુજરાત કોંગ્રેસ લેવલે કોઈ ચર્ચા નથી થઈ. કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કોઈ નિર્ણય લેવાયો હોયો તો અમને જાણ નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir