બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / અન્ય જિલ્લા / Who will settle the dispute between Rupala and Kshatriya society
Last Updated: 09:00 PM, 7 April 2024
દરેક વાદ કે વિવાદનો એક છેડો ચોક્કસ આવે છે, શક્ય છે કે તેમા વહેલું મોડું થઈ શકે. પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે જે નિવેદન કર્યું તેના વિવાદનો છેડો હજુ આવ્યો નથી. રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિયોનો આક્રોશ યથાવત છે અને રૂપાલાની ટિકિટ રદ થાય તેનાથી ઓછું કંઈ જોઈતું નથી. આ મુદ્દે આરોપ-પ્રત્યારોપ પણ દાખલ થયા જે મહદઅંશે બિનજરૂરી છે. ભાજપે આરોપ મુક્યો કે ક્ષત્રિય સમાજના સંમેલનો તેના આક્રોશ કોંગ્રેસ પ્રેરિત છે અને કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે વર્ગવિગ્રહ કરાવે છે, સામે પક્ષે કોંગ્રેસે પ્રત્યારોપ કર્યો કે વર્ગવિગ્રહ કરાવવો ભાજપની જૂની આદત છે અને કોઈ સમાજે તેના ષડયંત્રમાં ફસાવું ન જોઈએ. રાજકીય પક્ષો તેની રાજરમત ભલે રમ્યા કરે પરંતુ હવે અત્યંત જરૂરી છે કે વ્યક્તિગત વિરોધનો પણ એક છેડો આવે. વ્યક્તિગત વિરોધની દૂરગામી અસર ક્યાંક એવી ન થાય કે જેમાં વ્યક્તિનો વિરોધ કરતા કરતા બે સમાજ એકબીજાનો વિરોધ કરવા લાગે અને જો આવુ થાય તો તે રાજ્ય કે દેશના હિતમાં બિલકુલ નથી. છેલ્લા ઘણાં સમયથી જે સવાલ ચર્ચાય છે. તેનો એકવાર ફરી જવાબ મેળવવા પ્રયાસ કરીશું કે આક્રોશના આરોપ-પ્રત્યારોપમાં આ વિવાદ આખરે પૂરો ક્યારે થશે અને કોણ એ ભૂમિકા ભજવશે.
ADVERTISEMENT
#Debate #Mahamanthan "આક્રોશ અંગે આરોપ-પ્રત્યારોપ વિવાદ પૂરો કોણ કરાવશે?" | VTV Gujarati #mahamanthan #ParshottamRupala #KshatriyaSamaj #RajputSamaj #BJPGujarat #GujaratCongress #VTVGujarati https://t.co/Xi3BzvrXGM
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 7, 2024
ADVERTISEMENT
રૂપાલાનો વિરોધ યથાવત
પરશોતમ રૂપાલાએ કરેલા નિવેદન બાદ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. રાજપૂત સમાજની રૂપાલા સામે નારાજગી યથાવત જોવા મળી રહી છે. નારાજગીમાં રાજકારણ ભળ્યું છે. ભાજપ-કોંગ્રેસના એકબીજા ઉપર આરોપ-પ્રત્યારોપ તેમજ ક્ષત્રિય સમાજ અંગે ભાજપ-કોંગ્રેસના આરોપ-પ્રત્યારોપ લાગી રહ્યા છે. રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ શમી રહ્યો નથી. સવાલ એ છે કે વિવાદનો અંત કેવી રીતે આવશે? વિવાદ પૂરો કરવામાં મહત્વની ભૂમિકા કોણ ભજવશે? આરોપ-પ્રત્યારોપની જગ્યાએ વિવાદ પૂરો કરવા અંગે વાત કેમ નહીં?
ભાજપનો આરોપ
કોંગ્રેસ ચૂંટણી પહેલા જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે વર્ગવિગ્રહ કરાવે છે. ક્ષત્રિય સમાજના રોષ પાછળ કોંગ્રેસના જ લોકો હશે તેમજ દેશના લોકોના મનમાં માત્ર મોદીજીનું જ નામ છે. લોકો મોદીજીને જ મત આપવા માગે છે. કોંગ્રેસ પાસે મુદ્દો નથી એટલે જ્ઞાતિઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવે છે
ADVERTISEMENT
કોંગ્રેસનો પ્રત્યારોપ
કોંગ્રેસનો આરોપ છે કે, ભાજપનું નિવેદન શરમજનક છે. પરશોતમ રૂપાલાની ટિપ્પણી ક્ષત્રિય સમાજના રોષ પાછળ જવાબદારસ છે. કોંગ્રેસ ઉપર આરોપ લગાવીને ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો છે. ભાજપ સમાજ-સમાજ વચ્ચે ભાગલા પડાવીને રાજકારણ રમે છે. પરશોતમ રૂપાલાએ ઈરાદાપૂર્વક ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે. ક્ષત્રિય અને પાટીદાર સામ-સામે આવે એવો ભાજપનો પ્રયાસ.
ધંધુકામાં શું કાર્યક્રમ હતો?
ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું હતું. પરશોતમ રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરાઈ હતી. રાજ્યભરમાંથી ક્ષત્રિય આગેવાનો સંમેલનમાં જોડાયા હતા. અનેક ક્ષત્રિયાણીઓ પણ સંમેલનમાં જોડાઈ હતી. ક્ષત્રિયાણીઓ પણ ટિકિટ રદ કરવાની માગ ઉપર અડગ છે.
ADVERTISEMENT
આક્રોશ હજુ યથાવત
સુરત
રૂપાલાનો કાફલો પસાર થવાનો હતો ત્યાં કાળા વાવટા-બેનર સાથે વિરોધ
ADVERTISEMENT
જામનગર
જિલ્લા ભાજપ મહામંત્રીએ રૂપાલા અને PMને પત્ર લખ્યો
રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા વિનંતી કરી
લુણાવાડા
રૂપાલાની વિરુદ્ધમાં સંમેલન યોજાયું
600 જેટલા લોકોએ પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા
ADVERTISEMENT
ગાંધીનગર
અંબોડ ગામમાં પરશોતમ રૂપાલાનું પૂતળાદહન
ખેડા
ગળતેશ્વરના સાંગોલ ગામે રૂપાલાની પ્રવેશબંધીના પોસ્ટર લાગ્યા
બનાસકાંઠા
પાલનપુરના ફતેપુર ગામમાં વિરોધ
રૂપાલાની ટિકિટ રદ કરવા માગ
સાબરકાંઠા
ખેડબ્રહ્માના રાધીવાડ ગામમાં વિરોધ
ભાજપના કોઈપણ નેતાએ ન પ્રવેશવાના બેનર લાગ્યા
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.