બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Arohi
Last Updated: 08:21 AM, 17 November 2023
ઘરની અંદર અમુક છોડ રાખવાથી લોકોની પ્રગતિ થઈ શકે છે. તેમાં એક મની પ્લાન્ટ હોય છે જેને રાખવાથી લોકો સુખ-સમૃદ્ધિ મેળવી શકે છે. વાસ્તુના અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરને સુંદર બનાવવાની સાથે પોઝિટિવ એનર્જી લાવવાનું કામ કરે છે. તેનાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થાઈ શકે છે. ખાસ વાત એ છે કે આ છોડને વધારે દેખરેખની જરૂર નથી હોતી. તેને તમે કોઈ પણ બોટલ કે ફ્લાવર પોટમાં રાખી શકો છો.
વાસ્તુ અનુસાર મની પ્લાન્ટ તમારા ઘરમાં સમૃદ્ધિ રાખવામાં મદદ કરે છે અને આર્થિક સમસ્યાઓથી છુટકારો અપાવવામાં મદદ કરે છે. આ છોડને ભાગ્યશાળી માનવામાં આવે છે. જોકે મની પ્લાન્ટ રાખવાના ફાયદા તમને ત્યારે જ મળશે જ્યારે તે યોગ્ય દિશામાં રાખવામાં આવશે.
આ દિશામાં મની પ્લાન્ટ રાખવું અશુભ
મની પ્લાન્ટને હંમેશા ઘરમાં યોગ્ય દિશામાં લગાવવું જોઈએ. ત્યારે જ તેનો લાભ મળશે. મની પ્લાન્ટને ક્યારેય પણ ઉત્તર-પૂર્વ દિશામાં ન લગાવવો જોઈએ. વાસ્તુ અનુસાર આમ કરવું અશુભ માનવામાં આવે છે.
આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક નુકસાન થઈ શકે છે અને કરિયરમાં મુશ્કેલીઓ આવી શકે છે. આટલું જ નહીં, ઉત્તર-પૂર્વ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ઘરના સદસ્યોના સંબંધમાં તિરાડ આવી શકે છે. ખોટી દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં નકારાત્મકતા વધી શકે છે.
ઘરમાં આવી શકે છે નકારાત્મક ઉર્જા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિશાનું પ્રતિનિધિ બૃહસ્પતિ કરે છે અને તે શુક્રના વિરોધી માનવામાં આવે છે. માટે મની પ્લાન્ટને આ દિશામાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. તેના ઉપરાંત ઘરના પશ્ચિમ અને પૂર્વ દિશામાં પણ મની પ્લાન્ટનો છોડ લગાવવો અશુભ માનવામાં આવે છે.
કહેવાય છે કે આ દિશામાં મની પ્લાન્ટનો છોડ લગાવવાથી વ્યક્તિને માનસિક સ્ટ્રેસનો સામનો નથી કરવો પડતો. મોટાભાગે લોકો આ પ્લાન્ટ લગાવે તો વ્યક્તિ દિશાનું ધ્યાન નથી રાખતા. માટે તેના ફાયદાની જગ્યા પર નુકસાન થાય છે. એવામાં યોગ્ય દિશા ખૂબ જ જરૂરી છે.
આ દિશામાં મની પ્લાન્ટ લગાવવું શુભ
મની પ્લાન્ટને હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આ દિશા આ પ્લાન્ટ માટે સૌથી સારી માનવામાં આવે છે. ભગવાન ગણેશ એવા દેવતા છે જે આ દિશામાં નિવાસ કરે છે અને કલ્યાણ અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં પ્રગતિ થાય છે.
વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને કુબેર અને બુધ ગ્રહની સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મની પ્લાન્ટને ઘરમાં રાખવાથી આર્થિક તંગી દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે. શુક્રવારના દિવસે તમે મની પ્લાન્ટમાં દૂધ નાખી શકો છો. માતા લક્ષ્મીને દૂધ ખૂબ જ પ્રિય છે. એવામાં શુક્રવારના દિવસે લક્ષ્મી પૂજા કર્યા બાદ મની પ્લાન્ટમાં દૂધ ચડાવો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir