બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / When chest pain arose, the girl was taken to Bhuwa. It happened late in the superstition that the family wept

મોતની અંધશ્રદ્ધા / છાતીમાં દુખાવો ઉપડ્યો તો યુવતીને ભૂવા પાસે લઈ ગયા.! અંધશ્રદ્ધામાં બન્યું એવું કે પરિવાર છાતી કુટીને રડ્યો

Vishal Khamar

Last Updated: 10:42 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના યુગમાં પણ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે દીકરીને છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવાને બદલે માતા-પિતા તેને એક મંદિરમાં ભુવા પાસે લઈ ગયા હતા.

  • કમકમાટીભર્યા અંધશ્રદ્ધા નો કિસ્સો આવ્યો સામે 
  • 20 વર્ષની લક્ષ્મી બેન નું થયું મોત
  • દુખાવો વધતા અંતે હોસ્પિટલ લઈ ગયા પરંતુ યુવતીનું મોત થયું

 આજના યુગમાં પણ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે દીકરીને છાતીમાં દુઃખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવાને બદલે માતા-પિતા તેને એક મંદિરમાં ભુવા પાસે લઈ ગયા હતા. મંદિરેથી પરત ફર્યા બાદ દીકરી દર્દથી પીડાતી હતી. યોગ્ય સારવાર ન મળતા બાળકીનું મોત નિપજ્યું છે.

લક્ષ્મીને ઉલ્ટી થતા માતાએ પિતાને જાણ કરી

મળતી માહિતી મુજબ જામનગર રોડ પર શિવશક્તિ સોસાયટીમાં રહેતી લક્ષ્મી ગોપાલભાઈ બજાણીયાને લાંબા સમયથી છાતીમાં દુઃખાવો થતો હતો. ત્યારે ગત રોજ સાંજના સુમારે દીકરી લક્ષ્મીને ઉલ્ટી થતા માતાએ તેના પિતાને જાણ કરતા પિતા ઘરે આવી પહોચ્યા હતા.

પિતા વાંકાનેર વિહત માતાજીનાં મંદિરે લઈ ગયા

દિકરીની તબિયત ખરાબ જોઈ તેને વાંકાનેર વિહત માતાજીના મંદિરે લઈ ગયા હતા. જ્યાં વિધિ પૂરી કરીને પરિવાર ઘરે પરત આવ્યો હતો. ઘરે આવ્યા બાદ લક્ષ્મી જમ્યા બાદ સૂઈ ગઈ હતી. લક્ષ્મીમાં રાતે હલનચલન ન થતા માતાએ તેને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તે ન જાગતા તેને સારવાર અર્થે 108 મારફતે રાજકોટ સિવિલમાં  ખસેડવામાં આવી હતી.

અંધશ્રદ્ધામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો

આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા લોકો પોતાનાં સંતાનો બીમાર પડે ત્યારે ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા લઈ જાય છે. ત્યારે સંતાનો વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ મા-બાપ બાળકને લઇને દવાખાને જ પહોંચે છે, જેથી આ મામલે સામાજિક અને આરોગ્યલક્ષી જાગૃતિ જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ