બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
VTV / What chanakya said for Friends
Kinjari
Last Updated: 05:46 PM, 5 November 2020
જીવનમાં મિત્રોને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જો તમારે સારા મિત્ર હોય તો તે દરેક પરિસ્થિતિમાં સાથે રહે છે અને મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે. જો કે, આ એક એવો સંબંધ છે જે વ્યક્તિ જાતે પસંદ કરે છે. પણ જો મિત્ર સ્વાર્થી હોય તો લોકોનું જીવન બરબાદ થઈ જાય છે. ચાણક્યએ તેની નીતિશાસ્ત્રમાં મિત્રતા વિશે પણ ઘણી વાતો કહી છે. જે આપણે જીવનમાં ખુબ મદદરૂપ થઈ શકે છે.
परोक्षे कार्यहन्तारं प्रत्यक्ष प्रियवादिनम्।
वर्जयेत्तादृशं मित्रं विषकुंभम् पयोमुखम्।।
ચાણક્ય નીતિના બીજા અધ્યાયમાં લખાયેલ 5મા શ્લોકમાં ચાણક્યએ કહ્યું છે કે, જે વ્યક્તિ મિત્રતાના સંબંધમાં મીઠુ મીઠુ બોલે અને ખોટા વખાણ કરે, અને તમારી પીઠ પાછળ ખરાબ બોલે તેનાથી હંમેશા દુર રહેવું જોઇએ. આવા લોકો મગર જેવા હોય છે.
न विश्वसेत् कुमित्रे च मित्रे चाऽपि न विश्वसेत्।
कदाचित् कुपितं मित्रं सर्वं गुह्यं प्रकाशयेत्।।
આ વાક્યોમાં ચાણક્યએ લખ્યુ છે કે કોઇ પણ મિત્ર પર વધારે ભરોસો ન કરવો જોઇએ, આંધળો વિશ્વાસ તમને લઇને ડૂબે છે. સારા મિત્ર સાથે આપણે જીવનના કેટલાક રહસ્યો શૅર કર્યા હોય, જો કોઇ કારણસર ભવિષ્યમાં તેનાથી અલગ થઇ જવાનું થાય તો તમારા જીવનના બધા જ રહસ્યો તેને ખબર હોય છે. જ્યારે સંકટ આવે તો તમારુ જીવન ખરાબ કરતા તેને થોડો સમય પણ નહી લાગે.
કોઇ પણ સંબંધની હદ નક્કી કરવી આપણા હાથમાં હોય છે. ખાસ મિત્ર પર પણ આંધળો વિશ્વાસ ન કરવો જોઇએ , તેવું ચાણક્ય કહે છે. જીવનમાં સુખી થવું હોય તો મિત્રો માટેની આ વાતો હંમેશા ધ્યાન રાખજો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ