બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / Vibhuti Patel 'Raniba's close relationship with BJP Mahila Morcha President Deepika Sardwa
Vishal Khamar
Last Updated: 06:32 PM, 24 November 2023
મોરબીમાં પગારને લઈને દલિત યુવક નિલેશને માર મારવા મામલે રાણીબાનું મોરબી ભાજપનાં મહિલા મોરચા પ્રમુખ દીપિકા સરડવા ખાતે ગાઢ સબંધ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તેમજ અનેક કાર્યક્રમમાં વિભૂતિ પટેલ અને દીપિકા સરડવા એક મેચ પર સાથે રહ્યાનાં ફોટા પણ વાયરલ થયા હતા. વિભૂતિ પટેલ પર નિલેશને માર મારવોનો આરોપ છે.
રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા મામલે યુવાનને માર મરાયો હોવાનો આક્ષેપ
મોરબીમાંથી શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. મોરબીની રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા મામલે યુવાનને માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. અનુસુચિત જાતિના આગેવાનો, મહિલાઓ સહિતના લોકો કલેકટર કચેરીએ પહોચ્યા હતા. અત્રે જણાવીએ કે, બે દિવસ અગાઉ પગાર લેવા ગયેલા યુવાનને 12 લોકોએ પટ્ટા વડે માર માર્યો હતો. જેમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત અન્ય કેટલાક શખ્સો સામે ફરિયાદ નોંધાઇ છે. મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
સિરામિક સિટી તરીકે જગવિખ્યાત બનેલ મોરબી શહેર જાણે કે ક્રાઇમ સિટી બની ગયું હોય તેવો ઘાટ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે અને ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોને પોલીસનો સહેજ પણ દર નથી તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી હાલમાં મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા (21)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી. રબારી તથા અન્ય સાત અજાણ્યા શખ્સ રહે. બધા જ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.
જીગ્નેશ મેવાણીનું નિવેદન
મોરબી રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં પગાર લેવા જતા યુવાનને માર પડ્યાની ઘટના પ્રકાશમાં આવતા ફરિયાદ નોંધાઈ છે. જે સમગ્ર મામલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થઈ રહ્યા છે. એટ્રોસીટીમાં સજા ન થવાને લીધે આવી ઘટનાઓ બને છે. તેમણે આ ઘટનાને નીમ્ન સ્તરની ગણાવી છે તેમજ ઓછા સમયમાં આરોપીઓને સજા કરવામાં આવે તેવી માંગ કરી છે.
'જાતિવાદી તત્વોમાં મેસેજ..': જિગ્નેશ મેવાણી
જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે, ભારતભરમાં દલિતો પર થતાં અત્યાચારની ઘટનામાં સજાનો દર 100માંથી 36 ટકા છે, એટલે કે, અત્યાચારની 100 ઘટના બને ત્યારે માત્ર 36 ઘટનામાં સજા થાય છે. વધુમાં કહ્યું કે, જ્યારે ગુજરાતમાં આવા કિસ્સાઓમાં સજાનો દર માત્ર 5 ટકા જ છે. જેના કારણે જાતિવાદી તત્વોમાં એવો મેસેજ ગયો છે કે, દલિતોના આત્મસન્માનમાં ચેડા કરો તેમજ બાઈક પર જય ભીમ લખાવો ત્યારે મારો તેમજ મૂછ રાખો ત્યારે હુમલો કરો કે પંદર દિવસનો વેતન માગવા પર માર મારવો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir