બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Vande Bharat Express: The country will get 9 Vande Bharat trains, PM Modi will flag off tomorrow, see the complete list

આત્મનિર્ભર ભારત / આવતીકાલે દેશને એક-બે નહીં, પૂરી 9 વંદે ભારત ટ્રેન કરાશે ગિફ્ટ, PM મોદીના હસ્તે કરાશે લોકાર્પણ, જુઓ લિસ્ટ

Megha

Last Updated: 01:38 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દેશના 25 રેલવે રૂટ પર દોડી રહી છે પણ 24 સપ્ટેમ્બરથી દેશના 34 રૂટ પર દોડવાનું શરૂ થશે. આ રૂટ પર 16 કોચને બદલે 8 કોચવાળી વંદે ભારત ટ્રેન ચાલશે.

  • રવિવારે દેશને 9 નવી વંદે ભારત ટ્રેનોની ભેટ મળશે 
  • આવતીકાલથી વંદે ભારત ટ્રેન દેશના 34 રૂટ પર દોડવાનું શરૂ થશે
  • આ રૂટ પર 16 કોચને બદલે 8 કોચવાળી વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજના

પ્રધાનમંત્રી મોદી રવિવારે દેશને 9 નવી વંદે ભારત ટ્રેનો ભેટ આપવા જઈ રહ્યા છે. દેશના લોકોને આવતીકાલે એટલે કે 24 સપ્ટેમ્બરે 9 નવી વંદે ભારત એક્સપ્રેસની ભેટ મળવા જઈ રહી છે.  વડાપ્રધાન મોદીએ પોતે ટ્રેનોને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવશે. આ ટ્રેનો દેશના ઘણા મુખ્ય માર્ગો પર દોડાવવામાં આવશે. 

રવિવારે દેશને 9 નવી વંદે ભારત ટ્રેનોની ભેટ મળશે 
હાલમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દેશના 25 રેલવે રૂટ પર દોડી રહી છે. હવે રવિવાર એટલે કે 24 સપ્ટેમ્બરથી વંદે ભારત ટ્રેન દેશના 34 રૂટ પર દોડવાનું શરૂ થશે. રેલવે આ રૂટ પર 16 કોચને બદલે 8 કોચવાળી વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજના ધરાવે છે. આ રીતે ઘણા રાજ્યોને વંદે ભારતની ભેટ મળશે. જેથી લોકોને લક્ઝરી ટ્રેનમાં સવારી કરવામાં વિલંબનો સામનો ન કરવો પડે. આ માટે રેલવેએ સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જણાવી દઈએ કે આ વર્ષના અંત સુધીમાં રેલ્વેએ 75 વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાનું લક્ષ્ય રાખ્યું હતું. જેને રેલવે સમય પહેલા પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે. 

વંદે ભારત ટ્રેન કયા નવા રૂટ પર દોડશે?
રવિવારથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ઉદયપુરથી જયપુર, તમિલનાડુના તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ, હૈદરાબાદથી બેંગલુરુ, વિજયવાડાથી ચેન્નાઈ, કેરળના કાસરગોડથી તિરુવનંતપુરમ, રાઉરકેલાથી ભુવનેશ્વર અને જામનગરથી અમદાવાદ સહિત વધુ બે શહેરો વચ્ચે દોડશે. બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચે વંદે ભારત ટ્રેનના ટ્રાયલ રનમાં 610 કિલોમીટરનું અંતર માત્ર સાડા 7 કલાકમાં પૂર્ણ કરીને અજાયબી કરી બતાવી. કેટલાક હિસ્સા પર ટ્રેન 110 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હતી.

ઘણા રૂટ પર 8 કોચવાળી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવી રહી છે
હાલમાં 25 રૂટ છે જેના પર વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. તેમાંથી ઘણા રૂટ પર 8 કોચવાળી વંદે ભારત ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ 8 કોચવાળી વંદે ભારત ટ્રેનનો પ્રતિસાદ સારો છે. રવિવારથી શરૂ થનારી 9 વંદે ભારત ટ્રેન પણ માત્ર 8 કોચ સાથે દોડી શકાશે. 8 કોચનો ફાયદો એ છે કે આ ટ્રેન ઝડપથી ભરાઈ જશે. જો વંદે ભારતને આઠ કોચ સાથે ચલાવવામાં આવે તો તેને ઓછા સમયમાં વધુ રૂટ પર દોડાવી શકાય છે. ઘણા માર્ગો પર મુસાફરોના બુકિંગને ધ્યાનમાં રાખીને, આને જરૂરિયાત મુજબ 8 અથવા 16 કોચમાં વહેંચવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ