બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Priyakant
Last Updated: 03:35 PM, 26 December 2022
વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ MS યુનિવર્સિટીમાં નમાજ પઢતા યુવક-યુવતીનો વીડિયો વાયરલ થયો છે. માહિતી મુજબ સંસ્કૃત વિભાગની બહાર નમાજ પઢતા યુવક-યુવતીનો વીડિયો વાયરલ થતાં વિવાદ શરૂ થયો છે. આ તરફ વાયરલ વીડિયો મામલે સંસ્કૃત વિભાગના ડીન ડૉ.રામપાલ શુક્લએ બચાવ કરતાં કહ્યું કે, ઘટના ક્યારે બની તેની અમને જાણકારી નથી.
MS યુનિવર્સિટી વિવાદમાં
વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વિગતો મુજબ વડોદરાની MS યુનિવર્સિટીના પરીક્ષા આપવા આવેલ બે વિદ્યાર્થીઓ એ કેમ્પસમાં નમાજ અદા કરી હતી. આ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત વિભાગ બહાર જ નમાજ પઢવામાં આવી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. જોકે આ મામલે સંસ્કૃત વિભાગના ડીન ડૉ.રામપાલ શુક્લએ કહ્યું છે કે, અમને વીડિયો અંગે કોઈ માહિતી નથી.
શું કહ્યું સંસ્કૃત વિભાગના ડીને ?
સમગ્ર મામલે MS યુનિવર્સિટી સંસ્કૃત વિભાગના ડીન ડૉ.રામપાલ શુક્લએ બચાવ કરતાં જણાવ્યું હતું કે, ઘટના ક્યારે બની તેની અમને કોઈ જાણકારી નથી. અમારા ગેટની બહાર ઘટના બને તો અમને કઈ રીતે જાણ થાય ? અમને વીડિયો અંગે કોઈ માહિતી નથી. આ સાથે તેમણે કહ્યું હતું કે , કોઈ પણ ધર્મ હોય તેની પૂજા કે નમાજ નિશ્ચિત સ્થાને જ યોગ્ય લાગે. પૂજા કે નમાજ માટે જો કોઈ જ્ઞાન ન હોય તો જ્યાં ત્યાં થાય નહિ.
નમાજ વિવાદ અંગે યુનિવર્સિટીએ શું કહ્યું ?
વડોદરા MS યુનીમાં નમાજ મામલે હવે યુનિવર્સિટી દ્વારા ખુલાસો કરાયો છે. યુનિવર્સિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે, યુનિવર્સીટીમાં આવી ઘટના નિંદનીય છે, સમગ્ર મામલે વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરાશે. આ સાથે કહ્યું હતું કે, આવી ઘટના પુનઃ ઘટશે તો કાર્યવાહી થશે. નોંધનીય છે કે, MS યુનીમાં બીજી વખત નમાજ પઢવાની ઘટના બની છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ