બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Upheaval in Gujarat politics, veteran leader suspended from BJP, due to which CR Patil took action

ચૂંટણી 2024 / ગુજરાતની રાજનીતિમાં હડકંપ, ભાજપમાંથી દિગ્ગજ નેતા સસ્પેન્ડ, આ કારણે સી આર પાટીલે કરી કાર્યવાહી

Dinesh

Last Updated: 05:32 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ઼ડોદરામાં ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની સૂચનાથી પક્ષના તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ચહલ-પહલ વધી ગઈ છે. ક્યાંક પક્ષમાંથી રાજીનામાં પડી રહ્યાં છે તો ક્યાંક પક્ષમાંથી દૂર કરવામાં આવી રહ્યાં છે. આ બધાની વચ્ચે એવી વિગતો સામે આવી છે કે, ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો.જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ડો.જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ
વડોદરાના ડો.જ્યોતિબેન પંડ્યા ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. અત્રે જણાવીએ કે, ડો.જ્યોતિબેન પંડ્યા ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા. જેમને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની સૂચનાથી પક્ષના તમામ હોદ્દાથી દૂર કરાયા છે. 

 

વાંચવા જેવું: પોલીસ ભરતીની તારીખ જાહેર: 4 એપ્રિલથી ભરી શકાશે ઓનલાઈન ફોર્મ, પણ આ વાતનું રાખજો ધ્યાન

ડૉ.જ્યોતિબેન પંડ્યાએ શું કહ્યું ?
વડોદરામાં રંજનબેનની ત્રીજીવાર ભાજપ ટિકિટ આપતા વિવાદ વકર્યો છે. જણાવીએ કે, ડૉ.જ્યોતિબેન પંડ્યાએ લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી રંજનબેનને ટિકિટ આપતા ડૉ.જ્યોતિબેન પંડ્યાએ સવાલ ઉઠાવ્યા હતા.  ડૉ.જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, શહેર જેને પસંદ નથી કરતું પાર્ટીએ તેને ટિકિટ આપી છે. વારાણસીની જેમ વડોદરાનો ક્યારે વિકાસ થશે ? તેમણે બળાપો કાઢતા કહ્યું હતું કે, રંજનબેનને ત્રીજી વખત કેમ ટિકિટ આપવામાં આવી? હું લોકસભા ઉમેદવાર માટે લાયક છું. મે સવારે પાર્ટી છોડવા મુદ્દે હાઈકમાન્ડને જાણ કરી છે. હું છેલ્લા 30 વર્ષથી સક્રિય કાર્યકર છતાં પાર્ટીએ મને ટિકિટ ન આપી. 

       મીડિયા સાથે વાતચીત દરમિયાન ડો.જ્યોતિબેન પંડ્યાએ કહ્યું હતું કે, પરિવારને મૂકીને મે છેલ્લા 28 વર્ષથી ભાજપ માટે કામ કર્યું છે. ભાજપના કાર્યકરો ડરમાં કામ કરી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ