બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / Until the law comes, have 5-6 children said a well-known narrator
Kishor
Last Updated: 07:48 PM, 19 February 2023
કથાનો ઉદ્દેશ સારા વિચારો અને જ્ઞાન પ્રસરાવવાનો હોય છે. જેને પગલે મોટી સંખ્યામાં લોકો કથા સાંભળવા જતા હોય છે તેવામાં ક્યારેક આવા કથાકારો એવા નિવેદન આપી દેતા હોય છે. જેને લઈને વિવાદ જાગતા હોય છે. ત્યારે જાણીકા કથાવાચકે એક અણછાજતી ટકોર કરતા કહિ દિધુ હતુ કે, ‘જ્યાં સુધી કાયદો નથી આવતો ત્યાં સુધી 5-6 બાળકો પેદા કરો..’ જેને લઈને આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
દેવકીનંદન ઠાકુરે ટકોર કરતા કહ્યું કે...
મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો જાણીતા કથાવાંચક દેવકીનંદન ઠાકુરે આજે જનસંખ્યા પર એક અણછાજે તેવુ નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યુ હતુ કે આજ દિન સુધી વસ્તીને નિયંત્રિત કરવામા આવ્યુ નથી. તેમણે વધુમાં કહ્યુ કે કોઈ વિચારી પણ નથી શકતુ કે કેટલી મોટો વસ્તીનો વિસ્ફોટ થયો છે. આઝાદી પછીની જો વાત કરીએ તો સૌથી મોટો હુમલો સનાતન પર થયો છે. તેમ પણ જાણીતા કથા વાંચકે જણાવ્યું હતુ.
નાગપુરમાં વસ્તી નિયંત્રણ પર એવુ નિવેદન આપ્યું કે...
આજે જાણીતા કથાવાંચક એવા દેવકીનંદન ઠાકુરએ નાગપુરમાં વસ્તી નિયંત્રણ પર એવુ નિવેદન આપ્યું કે તેઓ ચર્ચામા આવી ગયા છે. તેમણે નિવેદન આપતા કહ્યુ હતુ કે જ્યાં સુધી વસ્તી નિયંત્રણનો કાયદો ન આવે ત્યાં સુધી તમામે પાંચથી છ બાળકોને આપવો જોઈએ જન્મ…આ સાથે તેમણે સનાતન બોર્ડની રચના કરવા મામલે પણ માંગ કરી છે.
ડિસેમ્બરમાં દેવકીનંદનને બોમ્બથી ઉડાવવાની મળી હતી ધમકી
કથાવાંચક એવા દેવકીનંદનને આ પહેલા બોમ્બથી ઉડાવવાની ધમકી પણ મળી ચૂકી છે. ધમકીની વાત કરીએ તો ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં છેલ્લા અઠવાડિયામાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાઉદી અરેબિયાના એક કોલર દ્વારા આપવામાં આવી હતી. આ કોલરે ત્યાં ગાળો ભાંડતા ત્યાં સુુધી કહ્યુ હતુ કે, હિંદુ ધર્મગુરૂને ચોકમાં જીવતા સળગાવી દેવા સુધીની ધમકી આપી હતી. ત્યાર બાદ મહારાષ્ટ્રની પોલીસે આ ધમકીને લઈને આગળની કાર્યવાહી કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ