બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Dinesh
Last Updated: 06:50 PM, 13 August 2023
130 કરોડ નાગરિકોના સંકલ્પ દેશને 130 કરોડ ડગલાં આગળ વધારશે. pic.twitter.com/HsHmyBeuyd
— BJP Gujarat (@BJP4Gujarat) August 13, 2023
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. જેમણે એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે યુવાનોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ તમામ દેશો મળીને ભારત પર હુમલો કરે તો પણ તેઓ નિષ્ફળ જાય તે પ્રકારની સુરક્ષા આપવાની જવાબદારી યુવાનોની છે.
કોંગ્રેસ એટલે 12 લાખ કરોડના ભ્રષ્ટાચાર કરવાવાળા નેતાઓનો સમૂહ... pic.twitter.com/7VpRPO7p5Z
— BJP Gujarat (@BJP4Gujarat) August 13, 2023
'મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું'
અમિત શાહે તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકોર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે 85 કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમિત શાહે તમામ લોકોને તેમના ઘરે ત્રિરંગો ફરકાવવાનો અનુરોધ પણ કર્યો હતો. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું હતું કે નવ વર્ષમાં નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. પીએમ મોદીએ ભારતને 11માથી પાંચમા ક્રમે લાવ્યા છે તેમ પણ જણાવ્યું હતું
Live : CM Shri @Bhupendrapbjp attends foundation stone laying for development works of GUDA by Union HM Shri @AmitShah https://t.co/fEYo62qM9w
— BJP Gujarat (@BJP4Gujarat) August 13, 2023
'દેશ તિરંગામય બની જશે'
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અમદાવાદમાં આયોજિત તિરંગા યાત્રાને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે ગુજરાતમાં 6 કરોડની વસ્તી અને લગભગ 1 કરોડ પરિવારો છે. જો દરેક ઘરમાં ત્રિરંગો લહેરાવામાં આવે તો સમગ્ર ગુજરાત અને દેશ તિરંગામય બની જશે. અમિત શાહે જણાવ્યું હતું કે, આપણને મળેલી આઝાદી માટે કરોડો લોકોએ 90 વર્ષ સુધી સતત લડત લડી હતી અને પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. જે સંઘર્ષના પરિણામે આજે ભારત વિશ્વના સૌથી મોટા લોકતંત્ર તરીકે આગળ વધી રહ્યું છે.
કેન્દ્રિય મંત્રી અમિત શાહનું નિવેદન
કેન્દ્રિય મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ભગતસિંહજી જેવા વીર ક્રાંતિકારીઓએ હસતા-હસતા ઈંકલાબના નારા લગાવાતા લગાવતા ફાંસીએ ચડ્યા હતાં. જ્યારે 17 વર્ષના ખુદીરામ બોઝજીએ ફાંસી પર ચડીને કહ્યું કે હું ફરી આવીશ અને ફરી લડીશ. આઝાદી મેળવવા માટેની ભાવનાએ ન કોઈ જાતિ, ન ધર્મ, ન કોઈ પ્રદેશ કે કોઈ ઉંમર જોઈ ન હતી. આજે આપણે આઝાદી માટે જીવ આપી શકતા નથી પરંતુ દેશના માટે જીવવા કોઈ રોકી શકતું પણ નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir