બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / મુંબઈ / Uddhav's aide offered flowers on Aurangzeb's grave, also bowed his head, political earthquake in Maharashtra
Vishal Khamar
Last Updated: 11:28 PM, 17 June 2023
વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે શનિવારે ઔરંગઝેબની કબરની મુલાકાત લીધી હતી. હાલમાં ઔરંગાબાદનું નામ બદલવાને લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ઔરંગઝેબના પોસ્ટર અને સ્ટેટસ લગાવ્યા બાદ રાજ્યમાં કેટલીક જગ્યાએ આગચંપી પણ થઈ હતી. પ્રકાશ આંબેડકરે ઔરંગઝેબની કબરની મુલાકાત લઈને એક નવી રાર શરૂ કરી છે.
રાજકીય હોબાળો વધી શકે છે
ઔરંગઝેબને લઈને રાજ્યમાં વિવાદ વધી રહ્યો છે.મુઘલ બાદશાહના પોસ્ટરોના કારણે કેટલીક જગ્યાએ આગચંપીનાં બનાવો બન્યા હતા .દરમિયાન શિવસેનાના શિંદે જૂથે ઔરંગઝેબની કબરને હૈદરાબાદ ખસેડવાની માંગ કરી હતી. તો બીજી તરફ શિવસેનાના ઠાકરે જૂથે પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી સાથે રાજકીય સમાધાન કરવાની તૈયારી દર્શાવી છે.
પ્રકાશ આંબેડકરે ઔરંગઝેબ પર વાત કરી હતી
પ્રકાશ આંબેડકર દ્વારા ઔરંગઝેબની કબરની મુલાકાત બાદ રાજકીય પક્ષોમાં તેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે તમામની નજર ભાજપ, શિંદે જૂથ અને ઠાકરે જૂથની પ્રતિક્રિયા પર છે. પ્રકાશ આંબેડકરની ઔરંગઝેબની કબરની મુલાકાતથી નવો રાજકીય વિવાદ ઉભો થઈ શકે છે. ઔરંગઝેબની કબરની મુલાકાત લીધા બાદ પ્રકાશ આંબેડકરે કહ્યું, "હું ઔરંગઝેબની કબર પર ગયો હતો. તે એક ઐતિહાસિક ઈમારત છે, હું તેને જોવા આવ્યો છું. ઔરંગઝેબે 50 વર્ષ શાસન કર્યું, શું તમે તેને નષ્ટ કરવા જઈ રહ્યા છો?"
#WATCH | Chhatrapati Sambhaji Nagar, Maharashtra: Vanchit Bahujan Aghadi chief Prakash Ambedkar visits the tomb of Aurangzeb pic.twitter.com/MFHjoK9XwI
— ANI (@ANI) June 17, 2023
ઉદ્ધવે પ્રકાશ આંબેડકર સાથે કેમ હાથ મિલાવ્યા?
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને પ્રકાશ આંબેડકરની VBAએ આ વર્ષની શરૂઆતમાં ગઠબંધનની જાહેરાત કરી હતી. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉદ્ધવની શિવસેના મહારાષ્ટ્રમાં જમીન શોધવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે આંબેડકરે કહ્યું હતું કે હાલ જોડાણ શિવસેના (UBT) અને VBA વચ્ચે છે. પરંતુ તેમણે આશા વ્યક્ત કરી હતી કે મહાવિકાસ અઘાડી (કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના અન્ય ઘટકો પણ તેમાં જોડાશે. બંને પક્ષોએ 2024ની ચૂંટણી એકસાથે લડવાનું વચન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir