બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
Khevna
Last Updated: 01:38 PM, 15 March 2022
હોળી પર બન્યો ત્રણ ગ્રહોનો દુર્લભ સંયોગ
હોળીનો તહેવાર ખુશીઓ અને ઉલ્લાસ લઈને આવે છે. 17 માર્ચ 2022નાં રોજ હોલિકા દહન થશે અને તેના આગલા દિવસે 18 માર્ચનાં રોજ રંગોથી હોળી મનાવવામાં આવશે. આ વર્ષે હોળીનો તહેવાર અત્યંત ખાસ રહેશે. જ્યોતિષની નજરથી આ વર્ષની હોળી ગ્રહોના એવા શુભ સંયોગમાં રમવામાં આવશે, જે દુર્લભ છે. જોકે હોલિકા દહનની સાંજે ભદ્રા દોઢ પણ રહેશે, એટલા માટે આ વર્ષે હોલિકા દહન સાંજને બદલે રાત્રે થશે.
બની રહ્યા છે ત્રણ રાજયોગ
17 માર્ચનાં રોજ હોલિકા દહનનાં દિવસે ગ્રહો - નક્ષત્રોની સ્થિતિ એવી રહેશે જે 3 રાજયોગ બનાવી રહી છે. આ દિવસે ગજકેસરી યોગ, વરિષ્ઠ યોગ અને કેદાર યોગ બની રહ્યા છે. જ્યોતિષાચાર્યની માનીએ તો હોળી પર ગ્રહોનો એવો મહાસંયોગ પહેલા ક્યારેય બન્યો નથી. આટલા શુભ યોગમાં હોલિકા દહન થવું દેશ માટે અત્યંત લાભદાયી સાબિત થશે.
મળશે સુખ-સમૃદ્ધિ
3 રાજયોગનું બનવું માન-સમ્માન, પારિવારિક સુખ, સફળતા અને વૈભવ લાવે છે. હોલિકા દહનનાં દિવસે ગુરુવારનું આવવું અત્યંત શુભ માનવામાં આવે છે. સાથે જ સૂર્ય પણ ગુરુની રાશિ મીનમાં રહેશે. કુલ મળીને ગ્રહોની આવી સ્થિતિ બીમારીઓ, દુઃખ અને તકલીફોનો નાશ કરે છે. સાથે જ દુશ્મનો પર જીત પણ અપાવશે.
આ રાજયોગમાં મનાવવામાં આવેલ હોળીનો તહેવાર લોકો માટે ખુશી લઈને આવે છે. કારોબારીઓ માટે આ સમય અત્યંત લાભકારક રહેશે. ટેક્સ વસૂલીમાં પણ વધારો થઇ શકે છે. વિદેશી રોકાણ વધી શકે છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર ચાલી રહેલી મંદી પણ ધીમી પડશે. જયારે કોરોનાની વાત કરીએ, તો આ ગ્રહોની સ્થિતિ દેશમાં બીમારીઓનું સંક્રમણ ઘટાડશે. આ ઉપરાંત, આ સ્થિતિ સામાન્ય માણસોને મોંઘવારીમાં રાહત આપાવી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ