બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These 7 foods should not be consumed at night

હેલ્થ / ઊંઘના જાની દુશ્મન છે આ 7 ફૂડ્સ, જો-જો સૂતા પહેલાં ભૂલથી સેવન કરતા નહીંતર...!

Pooja Khunti

Last Updated: 10:08 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાત્રે મસાલેદાર ખોરાકનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારું પેટ ખરાબ થશે અને રાત્રે મોડે સુધી ઊંઘ પણ નહીં આવે. વધુ પ્રમાણમાં મસાલેદાર ખોરાક ખાવાથી છાતીમાં દુ:ખાવો થાય છે.

રાત્રે મોડે સુધી ફોન વાપરવો, વેબ સીરીઝ જોવી અને કામની ચિંતા વગેરેને કારણે રાત્રે ઊંઘ નથી આવતી. આ સાથે એક અન્ય કારણ પણ છે જેના કારણે તમને રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી. કેટલાક એવા ફૂડ્સ છે જેનું રાત્રે ઊંઘતા પહેલા સેવન કરવામાં આવે તો મોડે સુધી ઊંઘ નથી આવતી. જાણો, આ ફૂડ્સ વિશે. 

મસાલેદાર ખોરાક 
રાત્રે મસાલેદાર ખોરાકનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારું પેટ ખરાબ થશે અને રાત્રે મોડે સુધી ઊંઘ પણ નહીં આવે. વધુ પ્રમાણમાં મસાલેદાર ખોરાક ખાવાથી છાતીમાં દુ:ખાવો થાય છે. તેથી રાત્રે હળવો ખોરાક જ ખાવો જોઈએ. 

કેફીન 
એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે, રાત્રે સુવાના 6 કલાક પહેલા જો કેફીનનું સેવન કરવામાં આવે તો તેનાથી મોડે સુધી ઊંઘ નથી આવતી. કેફીન ઊંઘનું દુશ્મન છે. તમારે રાત્રે ઊંઘતા પહેલા હર્બલ ટી અથવા દૂધનું સેવન કરવું જોઈએ. 

હાઇ ફેટ ફૂડ્સ 
રાત્રિ ભોજન હળવો ખોરાક જ હોવો જોઈએ. જો હાઈ ફેટવાળા ખોરાકનું સેવન કરવામાં આવે તો તેનાથી પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે. જેના કારણે તમારી ઊંઘ ખરાબ થઈ શકે છે. 

મીઠી વસ્તુનું સેવન ટાળો 
રાત્રિ ભોજનમાં બની શકે તો મીઠી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તે બ્લડ સુગર લેવલને વધારે છે. જેનાથી તમને ઊંઘવામાં સમસ્યા થઈ શકે છે. તમે તેની જગ્યાએ કોઈ હેલ્ધી વસ્તુનું સેવન કરી શકો છો. 

વાંચવા જેવું: વારંવાર મોઢામાં છાલા પડતાં હોય તો આ વિટામિનની હોઈ શકે છે કમી, જાણો બચાવના ઉપાય 

જંક ફૂડ 
કેટલાક લોકો રાત્રે જમવામાં જંક ફૂસ ખાવાનું પસંદ કરતાં હોય છે. જંક ફૂડમાં વધુ માત્રામાં સોડિયમ, નમક, ખાંડ અને ખરાબ ફેટનું પ્રમાણ હોય છે. જે પાચન તંત્રને અસર કરે છે અને તમારી ઊંઘ પણ ખરાબ થાય છે. 

ડાર્ક ચોકલેટ 
ઘણા લોકો ડાર્ક ચોકલેટ ખાવાનું પસંદ કરે છે. ડાર્ક ચોકલેટમાં એમિનો એસિડ અને કેફીનનું પ્રમાણ વધુ હોય છે. જે ઊંઘને અસર કરે છે. તેથી રાત્રે ડાર્ક ચોકલેટનું સેવન ન કરવું જોઈએ. 

કાર્બોનેટેડ પીણાં
લોકો થાકને દૂર કરવા કાર્બોનેટેડ પીણાંનું સેવન કરતાં હોય છે. કાર્બોનેટેડ પીણાંના સેવનથી પેટમાં ગેસ, સોજો અને અપચાની સમસ્યા થઈ શકે છે. જેના કારણે તમારી ઊંઘ ખરાબ થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ