બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The suicide case of Veraval doctor Atul Chag

વેરાવળ / 'જેમણે રાજેશભાઈના પિતાને બચાવ્યા તેણે જ જીવ લીધો', ડો.અતુલ ચગ આપઘાત કેસમાં પરિવારના આરોપોથી ખળભળાટ, કેસમાં નવો એંગલ

Dinesh

Last Updated: 10:22 AM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેરાવળના ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યા મામલે ડોક્ટરના પરિવારજનો કહ્યું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો, આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો છે

  • વેરાવળના ડૉક્ટર અતુલ ચગની આત્મહત્યાનો મામલો 
  • આર્થિક કારણોસર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં: ડો. ચગના પરિજન
  • ડૉ.જલ્પન રૂપાપરાએ ડૉ.અતુલ ચગના પરિવારને ન્યાયની માગ કરી 

વેરાવળમાં જાણિતા ડૉ.અતુલ ચગની આત્મહત્યા મામલે તબીબના પરિવારે આક્ષેપ કર્યા છે. પરિવારે મૃતક તબિબની અંતિમયાત્રા પહેલાં સમાજ અગ્રણી ઝવેરી ઠક્કર પાસે પોતાની વ્યથા વ્યક્ત કરીને આક્ષેપ કર્યા છે. જેમાં પરિવારજનોએ રાજેશ ચુડાસમાના નામનો ઉલ્લેખ કર્યો છે. 

મૃતકના પરિજનો

પરિવારજનોનો આક્ષેપ
પરિવારજનોએ કહ્યું કે, અતુલ ચગે રાજેશ ચુડાસમાના પિતાનો જીવ બચાવ્યો હતો. આમ છતાં તેમણે અતુલ ચગનો જીવ લીધો છે. વધુમાં પરિવારના સભ્યોએ કહ્યું કે, ડૉ.અતુલ ચગ આર્થિક કારણથી આવું પગલું ક્યારેય ભરે નહીં. તે મજબૂત મનોબળના માનવી હતા. અતુલ ચગે પોતાના જીવનમાં અનેક ચડાવ-ઉતાર જોયા છે. જેથી તે આર્થિક કારણોસર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે,  ગઈકાલે ડૉ.અતુલ ચગે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ આત્મહત્યા આર્થિક કારણોને લઇ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 

મૃતકની બેન, રીટાબેન

 ન્યાય આપવાની માગ
આત્મહત્યા બાદ તબીબ અતુલ ચગની સુસાઇડ નોટ પણ મળી હતી. જેમાં નારણ નામના વ્યક્તિ અને રાજેશ ચુડાસમાનું નામ હતું. જેથી રઘુવંશી ક્રાંતિ મંચના ઉપપ્રમુખે રાજકીય વગ ધરાવતા લોકોને આપઘાત માટે જવાબદાર ગણાવ્યા હતા. સાથે જ તેમણે સુસાઇડ નોટમાં રાજકીય વગ ધરાવતા લોકોના નામ હોવાનું નિવેદન આપ્યું હતું. જવાબદાર લોકો સામે નક્કર કાર્યવાહી કરવા અને મૃતક તબીબના પરિવારને ન્યાય આપવાની માગ કરી હતી

સાંસદ પરિમલ નથવાણીએ દુ:ખ વ્યક્ત કર્યું
અતુલ ચગના આપઘાત મામલે સાંસદ પરિમલ નથવાણીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે, હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું  તેમણે કહ્યું કે, ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. નથવાણી ઉમેર્યું કે, લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. 

સાંસદે ગહન તપાસ અંગે  ગૃહ મંત્રીને કરી વિનંતી
આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. તેમણે જણાવ્યું કે, સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું.

આત્મહત્યા મામલે ડૉ.જલ્પન રૂપાપરાએ પોસ્ટ વાયરલ કરી
વેરાવળના ડૉ.અતુલ ચગની આત્મહત્યા મામલે ડૉ.જલ્પન રૂપાપરાએ ડૉ.અતુલ ચગના પરિવારને ન્યાય આપવાની માગ કરી છે.  ડૉ.જલ્પન રૂપાપરાની અતુલ ચગ વિશે લખેલી પોસ્ટ વાઇરલ કરી છે તેમણે લખ્યું છે કે,  ડૉ. ચગ ચોરવાડના નારણભાઇ ચુડાસમા પાસે પેસા માંગતા હતા અને ડૉ.ચગને હું મળ્યો ત્યારે તેમણે મને નાણાની વાત કરી હતી. તેમણે લખ્યું કે, ડૉ.ચગને અઢી કરોડ જેટલા રૂપિયા ચોરવાડના નારણભાઇ પાસેથી લેવાના હતા. તેમણે લખ્યું કે, નારણભાઇ રૂપિયા ન આપતા હોવાથી ડૉ.ચગ વ્યથિત હતા અને ડૉ.ચગ અને તેના પરિવારને ન્યાય મળવો જોઇએ

ડૉ.જલ્પન રૂપાપરા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ