બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
VTV / The LVM-3 launcher, earlier known as GSLV MK-III, was used to launch 'Chandrayaan-3'.
Megha
Last Updated: 05:04 PM, 14 July 2023
ભારતના ત્રીજા ચંદ્ર મિશન 'ચંદ્રયાન-3' આજે બપોરે 2.35 કલાકે ચંદ્ર તરફ ઉડાન ભરી. નોંધનીય છે કે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ 42 દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડ કરશે.
'ચંદ્રયાન-3' મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો
'ચંદ્રયાન-3' મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તે અગાઉ GSLV MK-III તરીકે ઓળખાતું હતું. ઉલ્લેખનીય છે કે સ્પેસ એજન્સી ઈસરોએ આ રોકેટ વડે ચંદ્રયાન-2 લોન્ચ કર્યું હતું.હવે જ્યારે ચંદ્રયાન 3 સમાચારોમાં છે, ત્યારે તેને અવકાશમાં લઈ જવા માટે જવાબદાર MK-3 લોન્ચ વ્હીકલ વિશે જાણવું પણ જરૂરી છે. તેની સૌથી મહત્વની વાત એ છે કે તે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રોકેટ છે.
#WATCH | Indian Space Research Organisation (ISRO) launches #Chandrayaan-3 Moon mission from Satish Dhawan Space Centre in Sriharikota.
— ANI (@ANI) July 14, 2023
Chandrayaan-3 is equipped with a lander, a rover and a propulsion module. pic.twitter.com/KwqzTLglnK
LVM-3 શું છે?
LVM-3ની તાકાત, કદ અને ક્ષમતાના કારણે તેને 'બાહુબલી' રોકેટ પણ કહેવામાં આવી રહ્યું છે. ત્રણ સ્તરના રોકેટમાં બે સોલીડ ફ્યુઅલ બૂસ્ટર અને પ્રલિક્વિડ ફ્યુઅલ કોર સ્ટેજ છે જે તેને શક્તિ આપે છે. હવે તેના કામને સમજીએ સોલિડ ફ્યુઅલ બૂસ્ટર્સ રોકેટને પ્રારંભિક તબક્કામાં આગળ વધારવામાં અથવા ધક્કો મારવામાં મદદ કરે છે. જ્યારે, લિક્વિડ ફ્યુઅલ કોર રોકેટને ઓર્બિટને આગળ ધપાવવા માટે થ્રસ્ટ જાળવી રાખે છે .આ રોકેટ 4 હજાર કિલોગ્રામ પેલોડને અંતરિક્ષમાં લઈ જઈ શકે છે.
અગાઉ આ રોકેટ GSLV-Mk3 તરીકે ઓળખાતું હતું
ISROનું કહેવું છે કે, 'આ 43.5 મીટર લાંબા ત્રણ તબક્કાના લોન્ચ વ્હીકલને GTOમાં 4000 કિલોગ્રામ સુધીના કમ્યુનિકેશન સેટેલાઈટ પહોંચાડવામાં ભારતને આત્મનિર્ભર બનાવ્યું છે.'અગાઉ આ રોકેટ GSLV-Mk3 તરીકે ઓળખાતું હતું. ISRO એ ત્રણ સફળ મિશન પછી તેને LVM-3 માં બદલી નાખ્યું. ખાસ વાત એ છે કે શુક્રવારે આ રોકેટ ચંદ્રયાન-3 દ્વારા ચોથી વખત ઓર્બિટમાં પેલોડ પહોંચાડવાના મિશન પર જઈ રહ્યું છે.
Chandrayaan-3 mission: Spacecraft lifts off successfully from Sriharikota
— ANI Digital (@ani_digital) July 14, 2023
Read @ANI Story | https://t.co/8fATRuqkzy#ISRO #Chandrayaan3 #Sriharikota pic.twitter.com/2Pj1frPCBh
રોકેટનું કુલ વજન 642 ટન હોવાનું કહેવાય છે
રોકેટનું કુલ વજન 642 ટન હોવાનું કહેવાય છે. તેની ઉંચાઈ 43.5 મીટર છે. LVM-3 નો ઉપયોગ પહેલાથી જ ઘણા સેટેલાઇટ લોન્ચ કરવા માટે કરવામાં આવ્યો છે. તેમાં GSAT-19 કોમ્યુનિકેશન સેટેલાઇટ, એસ્ટ્રોસ્ટેટ એસ્ટ્રોનોમી સેટેલાઇટ, ચંદ્રયાન-2નો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ રોકેટનો ઉપયોગ ગગનયાન મિશનમાં કરવામાં આવશે, જે ભારતનું પ્રથમ માનવ અવકાશ ઉડાન હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો