બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 06:23 PM, 7 June 2021
ADVERTISEMENT
IPL 2021ની શરૂઆત તો ભારતમાં થઈ હતી પરંતુ કોલકાતાના સ્પિનર વરુન ચક્રવર્તી સાથે બીજા સ્ટાફના મેમ્બર્સ અને એક પછી એક ઘણાબધા ખેલાડીઓ કોરોના સંક્રમિત થતાં BCCIએ IPLને અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો. વિદેશી ખેલાડીઓને ચાર્ટર્ડ પ્લેન દ્વારા તેમના દેશમાં પરત મોકલવાની વ્યવસ્થા પણ BCCIએ કરી હતી.
19 સપ્ટેમ્બરથી થશે iplની શરૂઆત, ફાઇનલ યોજાશે 25મી ઓક્ટોબરે
19 સપ્ટેમ્બરથી થશે IPLની બાકીની મેચોની શરૂઆત, BCCIએ જણાવ્યું કે ક્રિકેટના આગામી કેલેન્ડર મુજબ 25 દિવસના સમયગાળામાં IPLની આ એડિશન પૂરી કરવી અનિવાર્ય છે એ મુજબ ઓકટોબર 25ના દિવસે ટૂર્નામેન્ટની અંતિમ મેચ એટલે કે IPLની ફાઇનલ રમાશે.
ADVERTISEMENT
વિદેશી ખેલાડીઓ રમવા અંગે BCCIએ મૌન તોડ્યું
દરેક ટીમ વિદેશી ખેલાડીઓના રમવાને લઈને અવઢવમાં છે. વિદેશી ખેલાડીઓ IPLની આ મિનિ સિઝનમાં રમશે કે નહી તે અંગે અનેક તર્ક વિતર્ક છે ત્યારે આ મુદ્દે BCCIએ જણાવ્યું કે, તેઓ દરેક દેશના ક્રિકેટ બોર્ડ સાથે સંપર્કમાં છે અને સંપૂર્ણ પ્રયાસ કરશે કે બધા જ ખેલાડીઓ IPLમાં હાજર રહે.
UAEમાં યોજાશેની IPLની બાકીની મેચો
UAEના 3 મેદાન દુબઈ, અબુધાબી અને શારજહાંમાં IPL2021ની બાકીની મેચો રમાશે. IPL2020નું આયોજન પણ UAEમાં જ થયું હતું. દરેક ફ્રેન્ચાઇઝ હવે એ મુંજવણમાં છે કે જો તેમના વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ નહિ હોય તો એમના વિકલ્પ શું હશે? BCCIએ જણાવ્યું કે જો કોઈ દેશ તેમના ખેલાડીઓ ને મોકલવામાં વિરોધ ઉઠાવે તો એ મુજબ એ ખેલાડીઓના વિકલ્પ માટે પણ આયોજન કરવામાં આવશે.
ટીમમાં થઈ શકે છે અનિવાર્ય ફેરફાર
BCCIના જણાવ્યા પ્રમાણે મોટાભાગના બધા જ વિદેશી ખેલાડીઓએ IPL રમવાની તૈયારી દર્શાવી દીધી છે અને જે ખેલાડીઓ તૈયાર નથી થતા તેમનો વિકલ્પ શોધવાની પણ મથામણ શરૂ કરી દેવામાં આવી છે. પ્રત્યેક ટીમમાં તે મુજબ અનિવાર્ય ફેરફાર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.