બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / The Gujarat government made two more municipalities into metropolitan municipalities

ગાંધીનગર / ગુજરાત સરકારે વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી, બજેટ દરમિયાન સાત મનપાની થઈ હતી જાહેરાત

Vishal Khamar

Last Updated: 01:39 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ગૃહમાં નાણામંત્રી દ્વારા રાજ્યમાં વધુ બે નગરપાલિકાને મહાનગર પાલિકા જાહેર કરવામાં આવી છે. વધુ બે મહાનગર પાલિકા જાહેર થતા હવે રાજ્યમાં કુલ 17 મહાનગર પાલિકા છે.

હાલ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે. ત્યારે વિધાનસભામાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વનો જાહેરાત કરી છે. જેમાં પોરબંદર-છાયા નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવાશે. તેમજ નડિયાદ નગરપાલિકાને પણ મહાનગર પાલિકા જાહેર કરવામાં આવી છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આ નિર્ણયને આવકાર્યો હતો. અગાઉ 7 નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 

રાજ્યમાં બનેલી મહાનગર પાલિકા
અમદાવાદ
સુરત
વડોદરા
રાજકોટ
જામનગર
જૂનાગઢ
ગાંધીનગર
ભાવનગર
અર્જુન મોઢવાડિયા (ધારાસભ્ય)

પોરબંદર ને ભવિષ્ય માં આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની તક વધશેઃ અર્જુન મોઢવાડિયા (ધારાસભ્ય)
આ બાબતે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું કે, વિધાનસભાનાં સત્ર દરમ્યાન 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં ફેરવવાની માંગ કરી હતી. પોરબંદર અને નડિયાદને મહાનગર પાલિકા બનાવવાની માંગણી સ્વીકારી તેને હું આવકારૂ છું. પોરબંદરને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવાની તક વધશે. 

પંકજ દેસાઈ (ધારાસભ્ય નડિયાદ)

નડિયાદની બાજુમાં ઉત્તરસંડામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન આવવાનું છેઃ પંકજ દેસાઈ (ધારાસભ્ય નડિયાદ)
નડીયાદને મહાનગર પાલિકા જાહેર કરતા આ બાબતે ધારાસભ્ય પંકજ દેસાઈએ નિવેદન આપ્યું હતું કે, સૌ પ્રથમ સીએમ અને નાણાં મંત્રીનો આભાર માનું છું. નડિયાદને મનપા બનાવવાની જાહેરાત કરી છે. નડિયાદ સરદાર સાહેબનું જન્મ સ્થળ છે. દેશને આઝાદ કરવા નડિયાદમાં અનેક આંદોલન થયા હતા. નડિયાદ અમદાવાદ અને બરોડા વચ્ચેનું શહેર છે. મહાનગરપાલિકા બનતા ખૂબ મોટો ફાયદો થશે. નડિયાદની બાજુમાં ઉત્તરસંડામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન આવવાનું છે. જેથી નડિયાદમાં મહાનગર પાલિકા આવવી ખૂબ જરૂરી હતી. સાથે સાથે પોરબંદર ગાંધીજીનું જન્મ સ્થળ છે. તેનું ડેવલપમેન્ટ થાય તે જરૂરી છે. ત્યાં પણ મહાનગર પાલિકા આપી છે. તમામનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

વધુ વાંચોઃ અનંત અંબાણી પ્રિવેડિંગ: સ્પેશ્યલ શેફની ટીમ પહોંચી જામનગર, એક હજાર મહેમાનોને પીરસાશે 2500 વાનગીઓ 

બજેટમાં જાહેર થયેલી નગર પાલિકા
નવસારી
ગાંધીધામ
મોરબી
વાપી
આણંદ
મહેસાણા
સુરેન્દ્રનગર-વઢવાણ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ