બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Sushma Ahmedabad girl father Help to via Twitter for mmediate visa to Moscow

કાર્યનિષ્ઠા / સુષમાએ અમદાવાદી યુવતીના પિતાને મોસ્કો જવાના તત્કાલ વિઝા માટે ટ્વિટર દ્વારા મદદ કરી હતી

Vishal

Last Updated: 02:42 PM, 7 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું મંગળવારે રાતે હાર્ટ એટેકથી નિધન થયું છે. સુષમા સ્વરાજ ભારતના કોઈ પણ ખૂણે વસતા ભારતીયને જરૂરિયાત સમયે વિઝાની મદદ પહોંચાડવામાં પ્રતિબદ્ધ હતા. બસ, એક ટ્વિટથી લોકો સુષમા સ્વરાજ પાસેથી મદદ માંગી શકતા. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા તેમનો એક કિસ્સો અમદાવાદનો પણ છે.

લોકોને જરૂરિયાત સમયે વિઝાની મદદના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે તેમાનો એક કિસ્સો અમદાવાદનો પણ છે. તે વખતે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અમદાવાદના એક પિતાની મદદે આવ્યા હતા. વિદેશમાં ભણતી દીકરી બીમાર પડી, તો પિતાએ તાત્કાલિક વિઝા માટે વિદેશ મંત્રીના દરવાજા ખખટાવ્યા હતા, અને સુષમા સ્વરાજે તેમને તત્કાલ વિઝા અપાવ્યા હતા.

અમદાવાદના જયમોહન ધોપલાએ સુષ્મા સ્વરાજને ટ્વિટ કર્યુ હતું કે, તેમની બિમાર દીકરીને મળવા મોસ્કો જવા માટે તત્કાલિક વિઝાની જરૂર છે. તેમની દીકરી વિજ્ઞાશી ત્રિપાઠી ચાર મહિના પહેલાં મોસ્કો ગઈ હતી. જે ત્યાંની ''નોર્ધન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી''માં અભ્યાસ કરે છે, પરંતુ ત્યાં ગયા બાદ તેની તબિયત બગડી હતી. જેના બાદ તેને યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, પરંતુ 11 ફેબ્રુઆરીએ તેની તબિયત વધુ ખરાબ થતા તેને આઈસીયુમાં રિફર કરાઈ હતી. 

મોસ્કોની યુનિવર્સિટીના તબીબોએ જણાવ્યું કે, વિજ્ઞાશીને પહેલા શરદી થઈ ગઈ હતી, અને બાદમાં તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું, જેથી તે ખાવાનું લઈ શક્તિ ન હતી. જેના કારણે તેના શરીરમાં નબળાઈ આવી ગઈ છે.ત્યારબાદ દીકરીની ચિંતામાં જી.પી.ત્રિપાઠીએ મોસ્કો જવા માટે તત્કાલ વિઝાની અરજી કરી હતી, પરંતુ તે ન મળતા તેમણે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પાસેથી ટ્વિટર અને ઈ-મેઈલ દ્વારા મદદ માંગી હતી.

સુષમા સ્વારાજની પહેલાં કદાચ સરકારના કોઈપણ પ્રતિનિધિએ સોશિયલ મીડિયાનો આટલો ઉપયોગ કર્યો નહીં કર્યો હોય. સુષમાના આ કાર્યથી સરકાર અને લોકો જ નહીં પરંતુ વિપક્ષ પણ પ્રશંસા કરતું હતું. આમ આદમી પાર્ટીના નેતાએ સુષમા સ્વરાજનો આભાર માનતા સંસદમાં જણાવ્યું હતું કે, દેશ વિદેશમાં લોકોને બચાવવા માટે તેઓ ખૂબ ઉત્તમ કામ કરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ