બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ગુજરાત / અમદાવાદ / Sushma Ahmedabad girl father Help to via Twitter for mmediate visa to Moscow
Vishal
Last Updated: 02:42 PM, 7 August 2019
લોકોને જરૂરિયાત સમયે વિઝાની મદદના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે તેમાનો એક કિસ્સો અમદાવાદનો પણ છે. તે વખતે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અમદાવાદના એક પિતાની મદદે આવ્યા હતા. વિદેશમાં ભણતી દીકરી બીમાર પડી, તો પિતાએ તાત્કાલિક વિઝા માટે વિદેશ મંત્રીના દરવાજા ખખટાવ્યા હતા, અને સુષમા સ્વરાજે તેમને તત્કાલ વિઝા અપાવ્યા હતા.
અમદાવાદના જયમોહન ધોપલાએ સુષ્મા સ્વરાજને ટ્વિટ કર્યુ હતું કે, તેમની બિમાર દીકરીને મળવા મોસ્કો જવા માટે તત્કાલિક વિઝાની જરૂર છે. તેમની દીકરી વિજ્ઞાશી ત્રિપાઠી ચાર મહિના પહેલાં મોસ્કો ગઈ હતી. જે ત્યાંની ''નોર્ધન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી''માં અભ્યાસ કરે છે, પરંતુ ત્યાં ગયા બાદ તેની તબિયત બગડી હતી. જેના બાદ તેને યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, પરંતુ 11 ફેબ્રુઆરીએ તેની તબિયત વધુ ખરાબ થતા તેને આઈસીયુમાં રિફર કરાઈ હતી.
મોસ્કોની યુનિવર્સિટીના તબીબોએ જણાવ્યું કે, વિજ્ઞાશીને પહેલા શરદી થઈ ગઈ હતી, અને બાદમાં તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું, જેથી તે ખાવાનું લઈ શક્તિ ન હતી. જેના કારણે તેના શરીરમાં નબળાઈ આવી ગઈ છે.ત્યારબાદ દીકરીની ચિંતામાં જી.પી.ત્રિપાઠીએ મોસ્કો જવા માટે તત્કાલ વિઝાની અરજી કરી હતી, પરંતુ તે ન મળતા તેમણે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પાસેથી ટ્વિટર અને ઈ-મેઈલ દ્વારા મદદ માંગી હતી.
સુષમા સ્વારાજની પહેલાં કદાચ સરકારના કોઈપણ પ્રતિનિધિએ સોશિયલ મીડિયાનો આટલો ઉપયોગ કર્યો નહીં કર્યો હોય. સુષમાના આ કાર્યથી સરકાર અને લોકો જ નહીં પરંતુ વિપક્ષ પણ પ્રશંસા કરતું હતું. આમ આદમી પાર્ટીના નેતાએ સુષમા સ્વરાજનો આભાર માનતા સંસદમાં જણાવ્યું હતું કે, દેશ વિદેશમાં લોકોને બચાવવા માટે તેઓ ખૂબ ઉત્તમ કામ કરી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ