બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / surya rashi parivartan in kark will give sudden success in career and money property

સૂર્ય ગોચર / 4 દિવસ પછી સૂર્યનું થશે મહાગોચર, આ 4 રાશિના જાતકોને મળશે અપાર સફળતા અને ધનલાભ

Manisha Jogi

Last Updated: 11:50 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યના રાશિ પરિવર્તનથી તમામ રાશિના જાતકો પર અસર થાય છે. 4 રાશિના જાતકોને પ્રાપ્ત થશે શુભ પરિણામ. આ રાશિના જાતકોને જીવનમાં સફળતા, ધન અને માન-સમ્માન પ્રાપ્ત થશે.

  • સૂર્યના ગોચરને મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યું છે
  • સૂર્યના રાશિ પરિવર્તનથી તમામ રાશિના જાતકો પર અસર 
  • આ 4 રાશિના જાતકોને જીવનમાં મળશે અપાર સફળતા

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યના ગોચરને મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યું છે, જે સફળતા, આરોગ્ય, આત્મવિશ્વાસ અને આત્માનો કારક ગ્રહ છે. સૂર્યના રાશિ પરિવર્તનથી તમામ રાશિના જાતકો પર અસર થાય છે. 15 જૂનના રોજ સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જેથી 4 રાશિના જાતકોને પ્રાપ્ત થશે શુભ પરિણામ. આ રાશિના જાતકોને જીવનમાં સફળતા, ધન અને માન-સમ્માન પ્રાપ્ત થશે. સૂર્ય એક મહિના સુધી મિથુન રાશિમાં રહેશે, ત્યાર પછી 16 જુલાઈના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 

આ રાશિના જાતકોને થશે લાભ
મેષ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યના ગોચરથી મેષ રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. મેષ રાશિના જાતકો માટે યાત્રાનો યોગ બની રહ્યો છે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. મદદ અને આત્મવિશ્વાસની મદદથી નિરંતર સફળતા પ્રાપ્ત થશે. બિઝનેસમાં લાભ થશે. સહકર્મીઓ સાથે સારો વ્યવહાર કરો. 

સિંહ- સૂર્યના ગોચરથી સિંહ રાશિના જાતકોને શુભ પરિણામ પ્રાપ્ત થશે. કામમાં સફળતા મળશે. અગાઉની સમસ્યાથી રાહત મળવાથી તણાવ ઓછો થશે. આવકમાં વૃદ્ધિ થશે અને નાણાંકીય લાભ થશે. 

કન્યા- સૂર્યના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોને લાભ થશે. ઓફિસમાં મોટી સફળતા મળી શકે છે. પદોન્નતિ અથવા સારો પ્રોજેક્ટ મળી શકે છે. કાર્યકુશળતામાં વૃદ્ધિ થશે અને વેપારમાં પ્રગતિ થશે. માન સમ્માન પ્રાપ્ત થશે. નવા મિત્ર બનશે. વધુ પડતો આત્મવિશ્વાસ ના દાખવવો. 

કુંભ- સૂર્યના ગોચરથી કુંભ રાશિના જાતકોને જીવનમાં અપાર પ્રેમ અને ધન પ્રાપ્ત થશે. નવો કોર્સ કરવાથી કરિઅરમાં લાભ થશે. લવ લાઈફમાં સુધારો થશે. પાર્ટનર સાથે સારો તાલમેલ બેસશે. વેપારીઓને લાભ થશે. ભાગ્ય સાથ આપશે. આરોગ્યમાં સુધારો થશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ