બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / વડોદરા / Surat saw 125 fire incidents in a single day while 30 fire incidents occurred in Porbandar city
Dinesh
Last Updated: 02:50 PM, 13 November 2023
સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પર્વ ચાલી રહ્યું છે. આ મહા પર્વ પર અનેક સ્થળોએ આગના બનાવો બન્યા છે. સુરતમાં એક જ દિવસમાં 125 આગના બનાવો બન્યા છે તો બીજી તરફ પોરબંદરમાં 30 બનાવો બન્યા છે. જ્યારે રાજકોટમાં 124 આગના કોલ ફાયર વિભાગને મળ્યા છે.
29 આગના કોલ રાંદેર ઝોનમાંથી આવ્યા
સુરતમાં એક જ દિવસમાં 125 આગની ઘટના બની છે. 36 કલાકમાં આગના 125 કોલ આવ્યા હતા. જેમાં સૌથી વધુ 29 આગના કોલ રાંદેર ઝોનમાંથી આવ્યા છે જ્યારે અઠવા ઝોનથી ફાયર વિભાગને 19 કોલ મળ્યા છે. વરાછા એ અને બી ઝોનમાં ફાયરને 22 કોલ મળ્યા છે. આપને વિગતે જણાવીએ તો ઉધના A અને Bમાં આગની 13 ઘટના સામે આવી છે, જ્યારે લિંબાયતમાં 16 આગની ઘટના બની હતી. કતારગામ ઝોન વિસ્તારમાં 18 આગની ઘટના ઘટી છે.
સદનસીબે કોઈ જાનહાનિ નહીં
દિવાળીના દિવસે પોરબંદર શહેરમાં 30 આગના બનાવો ધ્યાને આવ્યા છે. 1 દિવસમાં 30 જેટલા આગના બનાવના કોલ ફાયર વિભાગને મળ્યા હતા. જેમાં ફાયર વિભાગની ઉત્કૃષ્ટ કામગીરીના કારણે કોઈ જાનહાની થઈ નથી. આગના બનાવોમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તમામ આગની ઘટના ફટાકડાના કારણે લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
રાજકોટમાં 124 આગના બનાવો
રાજકોટમાં દિવાળીના દિવસે આગના 124 બનાવો નોંધાયા છે. ખુલ્લા વાડાઓમાં કચરાના ઢગલાઓમાં આગ લાગવાની 114 ઘટના સામે આવી છે. તો બીજી તરફ 3 ઓફિસમાં આગ લાગ્યાની દુર્ઘટના પણ નોંધાઇ છે. 3 ઔધોગિક એકમોમાં આગ લાગ્યા વિગતો સામે આવી છે. જો વાત કરવામાં આવે કાળી ચૌદશના દિવસેની તો શહેરમાં 14 જગ્યાએ આગના બનાવ નોંધાયા હતા. જ્યારે ધનતેરસના દિવસે રાજકોટમાં આગ લાગવાના 8 બનાવો બન્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir