બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Kishor
Last Updated: 09:47 PM, 3 January 2024
સુરત પોલીસ પાસે ગુનાખોરીને ડામવા અને ગુનેગારોને પકડવા શ્રેષ્ઠ CCTV નેટવર્ક છે. જોકે આ નેટવર્ક હવે માત્ર ગુનેગારોને પકડવા માટે કે ટ્રાફિક જામની સ્થિતિને કંટ્રોલ કરવા પુરતુ જ નથી રહ્યું. હવે આ નેટવર્ક લોકોને બચાવવા માટે પણ ઉપયોગી બની રહ્યું છે. કારણકે આ CCTV નેટવર્કની મદદથી સુરત પોલીસે દેવદૂત બનીને અત્યાર સુધીમાં અનેક લોકોને આત્મહત્યા કરતા બચાવ્યા છે. આવી ઘટનાઓને અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા એન્ટી સ્યુસાઈડ હેલ્પલાઈનની સુવિધા શરૂ કરવામાં આવી છે.
આત્માહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું સ્થળ પર જ કાઉન્સિલિંગ
જેના માટે એક ખાસ કંટ્રોલરૂમ શરૂ કરી તેમાં સ્પેશિયલ ટીમ બેસાડવામાં આવી છે. આ કંટ્રોલ રૂમમાં કોલ કરનારનું સૌ પ્રથમ લોકેશન અને ડિટેઈલ કાઢવામાં આવે છે. ત્યાર બાદ કોલ જે તે વિસ્તારના નજીકના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને તે વિસ્તારની પોલીસ સ્થળ પર પહોંચી જીવ બચાવી લે છે. ઘણી ઘટના ઓમાં પોલીસ દ્વારા માત્ર પોલીસ નહીં પરંતુ એક તબીબની જેમ આત્માહત્યાનો પ્રયાસ કરનાર વ્યક્તિનું સ્થળ પર જ કાઉન્સિલિંગ કરી તેને જીવન જીવવાની શીખ આપવામાં આવે છે.
સુરત પોલીસ શહેરીજનો માટે ખરા અર્થમાં દેવદૂત બની
બીજી બાજુ અહીં કન્ટ્રોલ રૂમમાં લાગેલા CCTV કેમેરાનો ઉપયોગ કરી સુરત શહેરના તમામ બ્રિજ પર પણ વોચ રાખવામાં આવે છે. જેનાથી કોઈ વ્યક્તિ જો કોઈ વાર બ્રિજ પરથી છલાંગ લગાવવાનો પ્રયત્ન કરે તો તાત્કાલિક તેની હિલચાલ જોઈ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી તેનો જીવ બચાવી શકાય છે. આમ સુરત પોલીસ શહેરીજનો માટે ખરા અર્થમાં દેવદૂત સાબિત થઈ રહી છે અને પોલીસની આ કામગીરીની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ