બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Dinesh
Last Updated: 06:52 PM, 22 July 2023
રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે લોક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં લોકોની સાથે પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. સુરતમાં હર્ષ સંઘવીએ લોક સંવાદ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, જે અગવડતાઓ પડી રહી છે તેના નિકાલ કરવા આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
'નાગરિકોને નુકસાન ન થાય તેવું કામ કરો'
મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ફૂટપાથ ઉપર શાકભાજી, ફ્રુટ વેંચતા અનેક લોકો આવ્યા છે. ત્યારે તમારી રોજગારી ચાલુ રહે અને જપ્ત ન થાય તે માટે વ્યવસ્થામાં સહયોગ કરો તેમજ ટ્રાફિક અને ગંદકીની સમસ્યા ઉભી ન કરો. તેમણે કહ્યું કે, પોલીસ સાથે સંકલન કરો સહયોગ કરો નહીંતર સખત પગલાં લેવામાં આવશે. પરિવારના ગુજરાન માટે શહેરના અન્ય નાગરિકોને નુકસાન ન થાય તેવું કામ કરો.
'PI શાકભાજી વાળા સાથે બેઠકો કરે'
તેમણે કહ્યું કે, દરેક પોલીસ સ્ટેશનના PI શાકભાજી વાળા સાથે બેઠકો કરે અને રોજગારી માટે લોકોને તકલીફ ન પડવી જોઈએ તે રીતે આગામી 48 કલાકમાં પ્લાન બનાવો. હર્ષ સંઘવીએ કહ્યું કે, નો ડ્રગ્સ ઇન સુરત સીટીને સફળ બનાવવા પોલીસને સહયોગ આપો. પોલીસની સાથે મને પણ માહિતી આપો જેથી પોલીસ શું કરે છે તેની ખબર પડે. તેમણે ઉમેર્યું કે, સુરત પોલીસની કામગીરી ખૂબ સરાહનીય કામગીરી છે. સુરત પોલીસે એક વર્ષમાં 976 મોબાઈલ લોકોને 'તેરા તુઝકો અર્પણ' હેઠળ પરત કર્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ