બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Spending time in closed rooms and in the dark is harmful
Pooja Khunti
Last Updated: 01:20 PM, 24 January 2024
લોકો તેમના શરીર, ત્વચા, હૃદય, પેટ અને આ તમામ અંગોને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ મહેનત કરે છે. પરંતુ તેઓ શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગ એટલે કે મગજને સ્વસ્થ રાખવા માટે ઘણું કરી શકતા નથી. ઘણી વખત લોકો એવું કંઈક કરે છે, જે તેમના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. આ જ રીતે જો તમે પણ અંધારામાં રહેવું વધુ પસંદ કરતાં હોય તો તે તમારા મગજ પર ખરાબ અસર કરી શકે છે. નિષ્ણાતો એવું પણ માને છે કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અંધારામાં રહે તો તેની મગજ પર ખરાબ અસર પડે છે.
બંધ રૂમ અને અંધારામાં સમય પસાર કરવો નુકસાનકારક છે
નિષ્ણાંતોનાં મતે, જો તમે લાંબા સમય સુધી અંધારાવાળા રૂમમાં રહો છો, તો તે શરીરમાં સેરોટોનિનનું ઉત્પાદન ઘટાડે છે. આ હોર્મોન્સ તમારો મૂડ સુધારે છે અને મગજના વિકાસમાં પણ મદદ કરે છે. અંધારામાં રહેવાથી મગજમાં આ હોર્મોન્સનું ઉત્પાદન ઓછું થઈ જાય છે. આ સાથે અંધારામાં રહેવાથી મગજમાં મેલાટોનિનનું ઉત્પાદન પણ અસંતુલિત થઈ જાય છે. જે તમારી ઊંઘની પદ્ધતિને સંતુલિત રાખે છે. નિષ્ણાંતો માને છે કે લાંબા સમય સુધી અંધારામાં રહેવાથી મગજની રચનામાં પણ ફેરફાર થાય છે. જેના કારણે યાદશક્તિ અને શીખવાની ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે.
વાંચવા જેવું: ખતરનાક છે ઊંઘતા સમયે મોઢું ખુલ્લુ રાખવાની ટેવ! હોઈ શકે છે અનેક સમસ્યાઓ
આ રીતે તમારા મગજની સંભાળ રાખો
તમારા મગજને સ્વસ્થ રાખવા માટે તમારે વિટામિન D લેવું ખૂબ જ જરૂરી છે. તમે સવારના તડકામાં બેસીને વિટામિન D લઈ શકો છો. આ સાથે તમારા ઘરનાં બારી-બારણા ખુલ્લા રાખો. જેથી ઘરમાં અંધકાર ન રહે અને પ્રકાશ આવતો રહે. પ્રકાશથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરનું વાતાવરણ પણ સ્વસ્થ રહે છે. આ સિવાય મગજને સ્વસ્થ રાખવા માટે તણાવથી દૂર રહો અને હેલ્ધી ખોરાક લો. વિટામિન D, C અને આયર્નથી ભરપૂર ખોરાક જેમ કે મખાના, બદામ, અખરોટ, ગ્રીન ટીનું સેવન કરવાનું સુનિશ્ચિત કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime