બ્રેકિંગ ન્યુઝ
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા
Kishor
Last Updated: 06:37 PM, 22 October 2023
માતાજીની પૂજા આરાધના સાથે નવરાત્રી મહોત્સવનો બરાબરનો માહોલ જામ્યો છે અને ભક્તો દાંડિયા અને ગરબાની મોજ માણી રહ્યા છે. સાથે આધ્યાશક્તિની આરાધનામાં મગ્ન છે ત્યારે આગામી દિવસોમાં હવે 24 ઓક્ટોબરના રોજ રાવણ દહન સાથે નવરાત્રી મહોત્સવ સંપન્ન કરવામાં આવશે. આવી સ્થિતિ વચ્ચે દશેરાનું અનેક રીતે મહત્વ બની રહ્યું છે. સૌપ્રથમ તો માતાજીની નવ દિવસ આરાધના કર્યા બાદ દશેરાના દિવસે માતાજીના ભક્તો ઉપવાસના પારણા કરે છે અને માતાજીને આગામી વર્ષમાં આમંત્રણ આપી અને વિદાય આપે છે. વધુમાં ઘરોમાં સ્થાપિત કરવામાં આવેલ કળશનું પણ વિસર્જન કરે છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પરંતુ આ વર્ષે વિશેષ યોગ બની રહ્યો હોવાથી દશેરાના દિવસે શનિ મહારાજ, ભગવાન સૂર્ય અને ચંદા મામા પણ તમારા પર ખુશી વરસાવી શકે છે.
જ્યોતિષોના જણાવ્યા અનુસાર આ વર્ષે દશેરાના દિવસે ૩૦ વર્ષ પછી એક ખાસ યોગ બનવા જઈ રહ્યો છે શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં છે. જેના કારણે શશ નામનો યોગ બની રહ્યો છે. બીજી તરફ સૂર્ય અને બુધ તુલા રાશિમાં હોવાથી બુધાદિત્ય યોગ બનશે. તેમજ ચંદ્ર અને શુક્ર એકબીજાની બરાબર સામે છે જેના કારણે ધન યોગ બની રહ્યો છે. જેને લઈને પાંચ રાશિના જાતકોને લાભ થશે.
કર્ક રાશિ
દશેરા નિમિતે કર્ક રાશિના લોકોને સારી આર્થિક લાભ થવાની સંભાવના છે.આ શુભ યોગને લઈ કર્ક રાશિના જાતકો કોઈ પણ વસ્તુમાં રોકાણ કરી શકે છે જેમાં સારા નફાની સંભાવના જોવા મળી રહી છે. આ ઉપરાંત તમારી સંપત્તિમાં વધારો થવાની શકયતા છે અને તમામ કાર્યક્ષેત્રમા સારો લાભ મળશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે પણ દશેરાનો દિવસ સારો સાબિત થઈ શકે છે. આ દિવસે આર્થિક લાભ તો થશે જ સાથે અગાઉ તમારા અટકેલા રૂપિયા પણ છુટ્ટા થઈ શકે છે. વધુમાં પ્રેમ જીવનમાં પણ પરિવર્તન આવશે અને તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે તેવી શકયતા છે.
મકર રાશિ
વધુમાં દશેરાનો આ યોગ મકર રાશિવાળા લોકોની પણ નાણાં ભીડ ભાગશે. અને આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. નોકરીમાં સારો વિકલ્પ અને નોકરી બદલાવના પુરા સંકેતો જોવા મળી રહ્યા છે.
તુલા રાશિ
વ્યાપાર ક્ષેત્રમાં સંકળાયેલા તુલા રાશિના લોકોને દશેરાના આ શુભ યોગથી સારો એવો ધન લાભ થવાની શક્યતા છે. જુના વિવાદનો અંત આવી શકે છે અને પરિવારમાં ખુશી બની રહેશે. સાથે જ જીવનસાથી સંબંધી સમસ્યાનો અંત આવશે અને તેમનો સાથ પણ મળશે.
કુંભ રાશિ
દશેરાના આ રાજયોગને લઈ કુંભ રાશિના લોકોના જીવનમાં અદભુત બદલાવા આવશે. કુંભ રાશિના જાતકોના જીવનમાં ખુશી ડગ માંડશે અને જુના અટકેલા કામો પણ ઉકેલાઈ શકે છે. વેપારમાં પણ સારો એવો લાભ મળશે. સાથે જ નવું કામ શરૂ કરવાની પણ તક મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh