બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Shops cannot decline Rs 2000 notes, says RBI Governor Shaktikanta Das

લોકોની ચિંતા ટળી / 'દુકાનદારો 2000ની નોટો લેવાનો ઈન્કાર ન કરી શકે' આપવો પડશે જરુરી સામાન', RBI ગર્વનરનો ઓર્ડર

Hiralal

Last Updated: 02:47 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2000ની ચલણી નોટો જ્યારથી પાછી ખેંચવાની જાહેરાત કરાઈ ત્યારથી દુકાનદારો આ નોટ લેવાનો ઈન્કાર કરી રહ્યાં છે પરંતુ તેઓ આવી નોટો લેવાનો ઈન્કાર ન કરી શકે.

  • 2000ની નોટોને લઈને શક્તિકાંત દાસની મોટી રાહત
  • દુકાનદારો 2000ની નોટો લેવાનો ઈન્કાર ન કરી શકે
  • લોકો 2000ની નોટોથી જરુરી સામાન ખરીદી શકે છે 

2000 રૂપિયાની નોટ પાછી લેવાની જાહેરાત પછી લોકોમાં ચિંતા છવાઈ છે કે હવે આ નોટનું શું કરવું જોકે નોટ બદલવા માટે લોકોને 4 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આરબીઆઇએ સ્પષ્ટ કરી દીધું છે કે 2000 રૂપિયાની નોટને લઇને ગભરાવાની જરૂર નથી. હવે તમે બેંકમાં 2000ની નોટ બદલી શકો છો, સાથે જ તમે કોઇ પણ દુકાન પર જઇને સરળતાથી નોટથી સામાન ખરીદી શકો છો કારણ કે કોઇ પણ દુકાનદાર આ નોટ લેવાની ના પાડી શકે નહીં.

દુકાનદારો 2000ની નોટ સ્વીકારવાનો ઈન્કાર ન કરી શકે 

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટ લાવવાનો હેતુ પૂરો થયો છે. આવી વ્યવસ્થા હેઠળ 2000 રૂપિયાની નોટ બદલીને જમા કરાવવામાં આવશે. આ માટે બેંકોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તમે દુકાનમાં જઈને સરળતાથી 2000ની નોટથી સામાન ખરીદી શકો છો.રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, નોટબંધી બાદ પાછી ખેંચવામાં આવેલી નોટોની ભરપાઇ માટે મુખ્યત્વે 2000 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. આ પછી હવે આ નોટોને ચલણમાંથી બહાર કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, 2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે અને 2023 સપ્ટેમ્બર સુધી સરળતાથી બેંકોમાં જમા અને બદલી શકાશે.

લોકો પાસે નોટો બદલવાનો પૂરતો સમય, ખોટી ઉતાવળ ન કરે 
શક્તિકાંત દાસ કહ્યું કે તમારી પાસે નોટ બદલવા માટે પૂરતો સમય છે. માટે જરૂરી છે કે તમે નોટ બદલવામાં કોઇ પણ પ્રકારની ધમાલ ન કરો. જો કોઈ સમસ્યા હશે તો આરબીઆઈ તેને સાંભળશે. જૂની નોટો બદલવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધ અંતર્ગત જનતાને કોઇ મુશ્કેલી ન પડે તેની પણ કાળજી રાખવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ