બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Arohi
Last Updated: 04:29 PM, 17 September 2022
શારદીય નવરાત્રી 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થઈ રહી છે. નવરાત્રીનો તહેવાર ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતારાણીના ભક્તો તેમની પૂજા કરવા માટે આખું વર્ષ શારદીય નવરાત્રીની રાહ જુએ છે.
માતાને વિવિધ વસ્તુઓના લગાવો ભોગ
પંચાંગ અનુસાર શારદીય નવરાત્રિ આશો માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. માતાના ભક્તો નવરાત્રીના નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરે છે. આ નવ દિવસોમાં પૂજા દરમિયાન માતાના વિવિધ સ્વરૂપોને અલગ-અલગ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.
મા દુર્ગા થશે પ્રસન્ન
એવું માનવામાં આવે છે કે આવું કરવાથી માતા પોતાના ભક્તો પર ખૂબ જ પ્રસન્ન થાય છે. ચાલો જાણીએ નવરાત્રીમાં કઈ વસ્તુનો ભોગ લગાવવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના કષ્ટ દૂર કરે છે.
માતા શૈલપુત્રીને ધરાવો ઘીનો ભોગ
નવરાત્રીના પહેલા દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. મા શૈલપુત્રી રોગો અને દરેક સંકટમાંથી મુક્તિ આપે છે. તેથી નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીને ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ.
મા બ્રહ્મચારિણી
નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાના આ સ્વરૂપને ખાંડ, સફેદ મીઠાઈ, ખાંડની મીઠાઈ અને ફળો અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિને લાંબા આયુષ્યનું વરદાન મળે છે.
મા ચંદ્રઘંટા
નવરાત્રીના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે માતાને દૂધ અથવા માવાથી બનેલી મીઠાઈ અને ખીર ચઢાવવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને ધન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે.
માતા કુષ્માંડા
નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે મા કુષ્માંડાને માલપુઆ અર્પણ કરો છો, તો ભક્તોને સદ્ બુદ્ધિ મળે છે.
મા કાત્યાયની
નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીનો દિવસ છે. આ દિવસે માતાને મધ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે માતાને મધ અર્પણ કરશો તો તમારી સુંદરતામાં વધારો થશે.
મા કાલરાત્રી
નવરાત્રિનો સાતમો દિવસ મા કાલરાત્રીના રૂપમાં પૂજવામાં આવે છે. આ દિવસે માતાને ગોળથી બનેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.
મહાગૌરી
નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતાને નારિયેળ અર્પણ કરવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી મનની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
મા સિદ્ધિદાત્રી
નવરાત્રિના છેલ્લા દિવસે એટલે કે નવમી તિથિએ દેવી સિદ્ધિદાત્રીને દાડમ અને તલ ચઢાવવામાં આવે છે. આ સાથે ચણા અને સીરાનો ભોગ ચઢાવવામાં આવે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime