બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Manisha Jogi
Last Updated: 01:15 PM, 2 May 2023
શાસ્ત્રો અનુસાર જેઠ માસની અમાસની તિથિના રોજ શનિદેવનો જન્મ થયો હતો. સૂર્યપુત્ર શનિદેવ તેમના ગુસ્સા માટે ઓળખવામાં આવે છે. શનિદેવ ન્યાયના દેવતા છે અને કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. જે રાશિના જાતકોના કર્મ ખરાબ હોય, શનિદેવ તે રાશિના જાતકોને ખૂબ જ કષ્ટ આપે છે. શનિની સાડેસાતી અને શનિઢૈય્યાને કારણે ખૂબ જ કષ્ટ ભોગવવા પડે છે. શનિની સાડેસાતી દરમિયાન શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ વર્ષે 19 મેના રોજ શનિ જયંતિ ઊજવવામા આવશે. જે લોકો પર શનિદેવનો પ્રકોપ હોય છે, તેમણે શનિ જયંતિના દિવસે કેટલાક ઉપાય કરવા જોઈએ.
શનિ જયંતિ
હિન્દી પંચાંગ અનુસાર 18મેના રોજ સાંજે 9:24 વાગ્યે આ તિથિ શરૂ થશે અને 19 મેના રોજ રાત્રે 9:22 આ તિથિ પૂર્ણ થશે. ઉદય તિથિ અનુસાર 19 મેના રોજ શનિ જયંતિની ઊજવણી કરવામાં આવશે. આ વર્ષે શનિ જયંતિના રોજ શનિદેવ તેમની કુંભ રાશિમાં બિરાજમાન હશે. 29 વર્ષ પછી આ સંયોગ બની રહ્યો છે અને શનિદેવની વિશેષ કૃપા મેળવવા માટે ખાસ દિવસ ગણવામાં આવે છે.
શનિ જયંતિ પૂજા
શનિદેવની કૃપા મેળવવા અને શનિદોષથી રાહત મેળવવા માટે શનિ જયંતિ સૌથી ખાસ દિવસ છે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને પૂજાનો સંકલ્પ લો. શનિદેવના મંદિરે જઈને શનિદેવની સામે તેલનો દીવો કરો. શનિદેવને સરસિયાનું તેલ ચઢાવો. કુમકુમ, અક્ષત, ગુલાલ, ફળ અર્પણ કરો. શનિદેવને તેલથી બનેલ મિઠાઈ અર્પણ કરો. શનિ જયંતિના દિવસે તલનું તેલ, કાળા તલ, લોખંડની વસ્તુ, કાળા કપડા, કાળી અડદની દાળનું દાન કરો. શનિદેવના મંત્રનો જાપ કરો.
'ॐ शं शनैश्चराय नमः'
'ॐ प्रां प्रीं प्रौ स: शनैश्चराय नमः'
'ॐ नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम.
छायामार्तण्डसम्भूतं तं नमामि शनैश्चरम्.'
શનિ જયંતિ ઉપાય
(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir