બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Manisha Jogi
Last Updated: 04:56 PM, 31 October 2023
ગ્રહોની ચાલના કારણે મનુષ્યના જીવન પર અસર થાય છે. ન્યાયના દેવતા શનિદેવ કર્મ અનુસાર ફળ પ્રદાન કરે છે. શનિદેવ 4 નવેમ્બર 2023થી કુંભ રાશિમાં માર્ગી થશે. શનિ હાલમાં વક્રી અવસ્થામાં છે. શનિની સીધી ચાલના કારણે તમામ રાશિના જાતકો પર અસર થશે. કેટલીક રાશિના જાતકો પર શનિ માર્ગીની ગંભીર અસર થશે. શનિ માર્ગીના કારણે કઈ રાશિના જાતકોએ સાવચેત રહેવું તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
આ રાશિના જાતકો પર થશે શનિ માર્ગીની ગંભીર અસર
કર્ક- આ રાશિના જાતકોને શનિ માર્ગીના કારણે નુકસાન થઈ શકે છે. દુર્ઘટના સર્જાઈ શકે છે અથવા આર્થિક મોરચે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પૈતૃક વ્યવસાય કરતા લોકોને નુકસાન થઈ શકે છે. દેવુ લેવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. નોકરિયાત વ્યક્તિઓએ પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડશે. દુશ્મનો પરેશાન કરવાની કોશિશ કરશે. વાણીમાં કટુ વચનોનો પ્રયોગ કરવામાં આવી શકે છે. સ્વભાવમાં વિનમ્રતા રાખવી.
વૃશ્વિક- આ રાશિના જાતકોએ શનિ માર્ગીના કારણે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. માઁના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. નાની નાની બાબતોના કારણે વિવાદ થઈ શકે છે, તેથી સાવધાની રાખવી. કામની બાબતે દૂર સ્થળે ટ્રાન્સફર થઈ શકે છે. નવું કામ શરૂ કરતા પહેલા યોગ્ય ચર્ચા વિચારણાં કરવી. કાયદાકીય મામલાથી દૂર રહેવું.
મીન- આ રાશિના જાતકોએ વિદેશ યાત્રા કરવી પડી શકે છે. આ દરમિયાન સાવચેત રહેવું નહીંતર નુકસાન થઈ શકે છે. વધુ પડતો ખર્ચ અને વગર કામની યાત્રાને કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે. નોકરી બદલવાનું વિચારી રહ્યા છો, તો થોડી રાહ જોવી. સંબંધોમાં ગેરસમજણ ઊભી થઈ શકે છે. યોગ્ય સમયે કામ પૂર્ણ કરી લેવું અને પાર્ટનરને સમય આપવો. આરોગ્ય બાબતે સાવધાન રહેવું. પેટ સંબંધિત બિમારીઓને કારમે પરેશાની થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ