બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / rise in covid cases in india after six days deaths and recovery rate today
Mayur
Last Updated: 11:30 AM, 12 August 2021
ભારતને કોરોનાની બીજી લહેર દરમિયાન મોટો ફટકો પડ્યો હતો જેની અસરો હજુ જનજીવનથી લઈ અર્થતંત્ર સુધી દેખાઈ રહી છે. થોડા દિવસો માટે રાહત અનુભવ્યાં બાદ હવે ભારત માટે ફ્રી સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. છ દિવસ બાદ ફ્રી કોરોનાના 40 હજાર કેસ સામે આવ્યા હતા. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 41,195 કેસ સામે આવ્યા છે જે ચિતાનો વિષય છે.
490 લોકોના મોત
છેલ્લા 24 કલાકમાં દેશમાં 490 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા. અગાઉ છેલ્લે 5 ઓગસ્ટે 44,643 કેસ આવ્યા હતા. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 39,069 લોકો કોરોનાથી સાજા થયા હતા અને આ સાથે અત્યાર સુધીમાં કોરોનાથી દેશમાં 3 કરોડ 20 લાખ અને 77 હજાર લોકો સંક્રમિત થયા છે. આમાંથી 4 લાખ 29 હજાર 669 લોકો અવસાન પામ્યા હતા.
કેરળમાં નોંધાયા હતા સૌથી વધારે કેસ
કેરળમાં બુધવારે કોવિડના 23,500 નવા કેસ સામે આવ્યા હતા. જેનાથી રાજ્યમાં સંક્રમણના આંકડા વધીને 36 લાખ 10 હજાર 193 થઈ ગયા હતા. કેરળમાં 116 લોકોના મોત થવાથી મૃતકોની સંખ્યા 18,120 થઈ ગઈ હતી.
કર્ણાટકમાં ત્રીજી લહેર શરુ થઈ હોવાની શક્યતા
રાજ્ય સરકાર દ્વારા આંકડામાં જણાવાયું કે રાજધાની બેંગ્લુરમાં છેલ્લા પાંચ દિવસમાં ઓછામાં ઓછા 242 બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ ચેતવણી આપી કે આગામી સમયમાં કોરોનાના કેસોની સંખ્યા હજુ પણ વધી શકે છે. કોરોનાની બીજી લહેર દરમિયાન નિષ્ણાંતો આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે ત્રીજી લહેર બાળકોને સૌથી વધારે પ્રભાવિત કરી શકે છે.
51,90,80,524 લોકોનું થયું રસીકરણ
ઉલ્લેખનીય છે કે, ભારતમાં હાલ 3,86,351 એક્ટિવ કેસ છે તો સાજા થવાનો દર 97.45% પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 3,12,20,981 લોકો કોરોનાથી મુક્ત થયાં છે. દેશમાં એક તરફ કોરોનાના કેસમાં વધ-ઘટ જોવા મળી રહી છે તો બીજી તરફ વેક્સિનેશન અભિયાન પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. ગત 24 કલાકની વાત કરવામાં આવે તો 41,38,646 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં 51,90,80,524 લોકોનું રસીકરણ થયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir