બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Red alert declared in Saurashtra and Kutch coasts, 07 major updates of Cyclone Biporjoy

સાયરન વાગી / સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાઓમાં રેડ એલર્ટ જાહેર, બિપોરજોય વાવાઝોડાના 07 મોટા અપડેટ

Vishal Khamar

Last Updated: 11:40 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાની અસરને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે નેશનલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરે એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં દરિયાકાંઠાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

બિપોરજોય વાવાઝોડાની અસરને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે નેશનલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરે એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં દરિયાકાંઠાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

બિપોરજોય વાવાઝોડાની અમદાવાદ શહેરમાં થનારી સંભવિત અસરને પગલે મ્યુનિસિપલ તંત્રના હેલ્થ-હોસ્પિટલ સહિતના તમામ વિભાગને એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યા છે.હેલ્થ વિભાગના તમામ કર્મીની રજા રદ કરાઈ છે. મ્યુનિ.સંચાલિત હોસ્પિટલ તથા અર્બન હેલ્થ સેન્ટરમાં તબીબી સ્ટાફને જરુરી દવાઓના જથ્થા સાથે સારવાર માટે સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યો છે.અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહીના પગલે આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ દર્શાવી છે.

ગાંધીનગરમાં  CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. વાવાઝોડાનાં અસરગ્રસ્ત ગામોનાં સરપંચો સાથે વાતચીત કરી હતી. CM ડેસ્ક બોર્ડના માધ્યમથી કરી સરપંચ સાથે વાતચીત કરી હતી. દેવભૂમિ દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, કચ્છ જીલ્લાનાં ગામોનાં સરપંચ સાથે ચર્ચા કરી હતી. CM ડેસ્કબોર્ડ દ્વારા 164 ગામોનો કર્યો સંપર્ક હતો. 

કચ્છમાં ટ્રેન, પ્લેન બાદ હવે એસ.ટી બસ સેવા પણ બંધ કરવામાં આવી છે.  માંડવી, નખત્રાણા, લખપત, અબડાસામાં બસ સેવા બંધ કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કલેક્ટરએ વાવાઝોડાની અસરથી જાહેરનામું બહાર પાડ્યું છે.  કચ્છના 4 તાલુકામાં એસ.ટી બસ સેવા બંધ કરાઇ છે. 

બિપોરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે.  બિપોરજોય વાવાઝોડું જખૌ નજીક હીટ કરે તેવી સંભાવના છે. વાવાઝોડું જખૌથી  દૂર-હવામાન વિભાગ 260 કિમી છે.   જખૌ પોર્ટ પાસે ટકરાઇ શકે છે બિપરજોય વાવાઝોડું. 15મી જૂને સાંજે જખૌ પોર્ટ આસપાસ બિપોરજોઈ ટકરાઇ શકે છે.  વાવાઝોડું હાલ સ્થિર અવસ્થામાં છે.

અમરેલી - ખાંભામાં બીપોર જોય વાવાઝોડાની અસર વર્તાઈ છે.  સતત વરસતા વરસાદ અને તેજ ગતિથી ફૂંકાતા પવનના કારણે મકાનની દીવાલ ધરાશાયી થઈ છે.  ખાંભાના મહાદેવ પરામાં લાલભાઈ મનજીભાઈ ટાપનીયા નું મકાન પડી ગયું છે.  ધૂંધવાના ગામે ભારે પવન અને વરસાદ થી ગોરધનભાઈ રાઠોડ ની દુકાનની દીવાલ પડી ગઇ છે.  ખાંભાનાં ભગવતીપરામાં આવેલ પાચાભાઈ નારણભાઈ રાઠોડના મકાનની દીવાલ ધરાશાયી થઈ છે. 

સોમનાથની સાપેક્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે પવનો અને વાવાઝોડાની વધુ અસરો થવાની સંભાવના છે. ત્યારે પ્રધાનમંત્રી ની અધ્યક્ષતામાં કામ કરતું સોમનાથ ટ્રસ્ટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોની વાહરે આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના સતત માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા ખાતે વહીવટી તંત્રનો સંપર્ક કરીને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવેલ શરણાર્થી માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 5000 પેકેટ બુંદી અને ગાંઠીયા બનાવીને રવાના કરવામાં આવ્યા છે. જે જિલ્લા વહીવટી તંત્રને હસ્તગત કરવામાં આવશે.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Building Collapse Cyclone Biporjoy Meteorological Department food packet ફ્રુડ પેકેટ બિપોરજોય વાવાઝોડું હવામાન વિભાગ Biporjoy Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ