બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / rahul gandhi vacating house truck reach his home after notice disqualified from parliament
Kishor
Last Updated: 07:38 PM, 14 April 2023
બદનક્ષી કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 23 માર્ચે સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આ મામલે કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. બાદમાં રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ પણ રદ કરી દેવામાં આવ્યું છે. જેનું સભ્યપદ રદ કરાયા બાદ ગૃહ સમિતિએ 27 માર્ચે રાહુલ ગાંધીને નોટિસ આપી એક મહિનાની અંદર ઘર ખાલી કરવા તાકીદ કરી હતી. જેના ભાગરૂપે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે (14 માર્ચે) પોતાનું નિવાસસ્થાન ખાલી કરવાનું શરૂ કર્યું છે. આજે શુક્રવારે એક ટ્રક ભરીને ઘરવખરી ઘરની બહાર કાઢવામાં આવી હતી.
#WATCH | Trucks at the premises of Delhi residence of Congress leader Rahul Gandhi. He is vacating his residence after being disqualified as Lok Sabha MP. pic.twitter.com/BZBpesy339
— ANI (@ANI) April 14, 2023
10 જનપથ સ્થિત નિવાસસ્થાને શિફ્ટ થવા જઈ રહ્યા છે
મહત્વનુ છે કે રાહુલ ગાંધી દિલ્હીમાં 12 તુગલક લેન સ્થિત આવેલા બંગલામાં રહેતા હતા.હવે આ બંગલો ખાલી કર્યા બાદ તેઓ પોતાના માતા સોનિયા ગાંધીના 10 જનપથ સ્થિત નિવાસસ્થાને શિફ્ટ થવા જઈ રહ્યા છે. 27 માર્ચે આપેલ કમિટીની નોટિસ અંગે તેમણે લોકસભા સચિવને પત્ર લખ્યો હતો. જેમાં કહ્યું કે તેઓ છેલ્લા ચાર વખતથી લોકસભાના ચૂંટાયેલા સભ્ય હોવાને નાતે અહીં સારો એવો સમય પસાર થયો હતો. મારી પાસે આ વિશે ઘણી સારી યાદો છે. જેથી કોંગ્રેસ નેતાએ કોર્ટના નિર્ણયને પડકાર્યો છે.
મારી લડત ચાલુ જ રહેશે : રાહુલ ગાંધી
નોંધનીય છે કે રાહુલ ગાંધી બુધવારે કેરળના વાયનાડમાં એક જનસભાને સંબોધી હતી. આ વેળાએ તેઓએ કહ્યું હતું કે 50 વખત મારું ઘર જપ્ત કરો, છતાં પણ હું લોકોના પ્રશ્નો ઉઠાવતો રહીશ. તમે ગમે તેટલી ધમકાવવાની ડરાવવાની કોશિશ કરો છતાં પણ મારી લડત ચાલુ જ રહેશે. અમે કોઈપણ ધમકીઓથી ડરતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir