બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
Arohi
Last Updated: 07:46 PM, 14 August 2023
ADVERTISEMENT
દરેક ગ્રહ સમયની સાથે સતત પોતાની સ્થિતિ બદલે છે. આ ગ્રહ પરિવર્તન બધી રાશીઓના વ્યક્તિઓ પર મહત્વપૂર્ણ પ્રભાવ કરે છે. ગ્રહોના ફેરફારની સાથે એવી સ્થિતિઓ બને છે જ્યારે બે કે વધારે ગ્રહ એક જ રાશિ કે નક્ષત્રમાં આવી જાય છે. તેનાથી શુભ અને અશુભ બન્ને પ્રકારના પરિણામ મળે છે.
ADVERTISEMENT
હાલ 17 ઓક્ટોબર સુધી શનિ-રાહુની યુતિ શતભિષા નક્ષત્રમાં થશે. જેનાથી એક અશુભ યોગ બનશે જે લગભગ બે મહિના સુધી ઘણી રાશિઓને નકારાત્મક રીતે પ્રભાવિત કરશે. આવો જાણીએ આ સમયે કઈ રાશિઓને સાવધાની રાખવાની જરૂર છે.
કર્ક
જ્યોતિષ ગણના અનુસાર કર્ક રાશિ પર અશુભ શનિ-રાહુ યુતિનો સૌથી પ્રતિકૂળ પ્રભાવ પડશે. આ યુતિ કર્ક રાશિના જાતકો માટે નાણાકીય મુશ્કેલીઓ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ લાવી શકે છે. એવામાં અવરોધ તમારા પ્રયત્નોની પ્રગતિમાં મુશ્કેલી બની શકે છે અને અધુરા કાર્યોથી નુકસાન થઈ શકે છે.
કુંભ
કુંભ રાશિના જાતકો માટે 17 ઓક્ટોબર સુધીનો સમય પડકાર ભર્યો રહેવાનો છે. પ્રતિકુળ શનિ-રાહુ યુતિ નાણાકીય નુકસાન અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તમારા ચાલી રહેલા પ્રોજેક્ટમાં મુશ્કેલીઓ આવી શકે છે અને અધુરા કાર્યોના કારણે નુકસાન થઈ શકે છે. નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર સહકર્મિઓ સાથે વિવાદનો સામનો કરવો પડી શકે છે.
કન્યા
શતભિષા નક્ષત્રમાં શનિ-રાહુની અશુભ યુતિ કન્યા રાશિના જાતકો માટે પ્રતિકૂળ પ્રભાવ લાવી શકે છે. માનસિક અને આર્થિક મુશ્કેલી વધારી શકે છે અને અચાનક દુર્ઘટનાના સંકેત મળી શકે છે. પરિવારની અંદર કે તમારી આસ-પાસના લોકોની સાથે વિવાદ થવાની સંભાવના છે. જેનાથી કાયદાકીય મુશ્કેલીઓ પણ પેદા થઈ શકે છે. આ સમયે કન્યા રાશિના લોકોને વધારે સાવધાન રહેવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT