બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ધર્મ / PM Modi reaches Srinathji, this temple has the story of Mughal atrocities, read the complete history
Pravin Joshi
Last Updated: 02:25 PM, 10 May 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજસ્થાનના નાથદ્વારા સ્થિત શ્રીનાથજીના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે જે મૂર્તિ જોઈ તે હિન્દુઓ અને ભારતનું ગૌરવ છે. આ મંદિરમાં મુઘલોના અત્યાચારની વાર્તા છે. અહીં શ્રીનાથજીની મૂર્તિ 7 વર્ષની ઉંમરે કૃષ્ણના બાળ સ્વરૂપમાં છે. આ મંદિરમાં સ્થાપિત શ્રીનાથજીની મૂર્તિ ઔરંગઝેબના મુઘલ કાળ દરમિયાન હિંદુ મંદિરો અને મૂર્તિઓનો નાશ કરવાના અભિયાનની યાદ અપાવે છે. મુઘલ શાસક ઔરંગઝેબ મૂર્તિપૂજાના વિરોધી હતા. તેથી જ તેમણે તેમના શાસનકાળ દરમિયાન મંદિરો તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ઔરંગઝેબના આદેશ પર ઘણા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. તે દરમિયાન ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં સ્થિત શ્રીનાથજીના મંદિરને તોડવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ હતી. શ્રીનાથજીની મૂર્તિને કોઈ નુકસાન થાય તે પહેલા મંદિરના પૂજારી દામોદરદાસ બૈરાગી મૂર્તિને મંદિરમાંથી બહાર લઈ આવ્યા હતા. દામોદરદાસ વલ્લભ સંપ્રદાયના હતા અને વલ્લભાચાર્યના વંશજ હતા.
नाथद्वारा में भगवान श्रीनाथजी के दर्शन और आशीर्वाद का सौभाग्य प्राप्त हुआ। उनसे देशवासियों के उत्तम स्वास्थ्य और कल्याण की कामना की। pic.twitter.com/iUgpcGiER7
— Narendra Modi (@narendramodi) May 10, 2023
ઔરંગઝેબનો ડર
તેમણે શ્રીનાથજીની મૂર્તિને બળદ ગાડામાં રાખી અને ત્યારબાદ ઘણા રાજાઓને વિનંતી કરી કે તેઓ શ્રીનાથજીનું મંદિર બનાવીને તેમાં સ્થાપિત કરે. પરંતુ ઔરંગઝેબના ડરથી કોઈએ તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં. અંતે દામોદરદાસ બૈરાગીએ મેવાડના રાજા રાણા રાજસિંહને સંદેશો મોકલ્યો. કારણ કે રાણા રાજ સિંહે અગાઉ પણ ઔરંગઝેબને પડકાર ફેંક્યો હતો.
Speaking at a programme during launch of multiple initiatives in Nathdwara, Rajasthan. https://t.co/3NljofQGWf
— Narendra Modi (@narendramodi) May 10, 2023
મેવાડના રાણા રાજ સિંહે ઔરંગઝેબને આ પડકાર આપ્યો હતો
પૂજારી દામોદરદાસ બૈરાગી મૂર્તિને બળદગાડામાં લઈ ગયા અને વૃંદાવનથી જયપુર થઈને ઉદયપુરના નાથદ્વારા લઈ આવ્યા. એવું કહેવાય છે કે રાણા રાજ સિંહે ઔરંગઝેબને પડકાર ફેંક્યો હતો કે જો તે આ પ્રતિમાને સ્પર્શ કરશે તો તેણે એક લાખથી વધુ રાજપૂતોમાંથી પસાર થવું પડશે. આ રીતે મુઘલોના પાયમાલથી બચીને શ્રીનાથજીને અહીં લાવવામાં આવ્યા હતા. આ કારણથી ભારતમાં આ મંદિર પ્રત્યે વિશેષ આસ્થા છે.
भारत के शौर्य और इसकी विरासत का वाहक राजस्थान जितना विकसित होगा, देश के विकास को भी उतनी ही गति मिलेगी। इसलिए हमारी सरकार यहां आधुनिक इंफ्रास्ट्रक्चर पर सबसे अधिक बल दे रही है। pic.twitter.com/sof5LvygoQ
— Narendra Modi (@narendramodi) May 10, 2023
આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે
આ મંદિરમાં પૂજા કરવા માટે દેશભરમાંથી ભક્તો આવે છે. આ મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. સમયની સાથે નાથદ્વારા દેશભરમાં એક મોટા ધાર્મિક સ્થળ તરીકે ઓળખાવા લાગ્યું છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પહેલીવાર અહીં આવી રહ્યા છે. પીએમ મોદી શ્રીનાથજીના દર્શન કર્યા બાદ નાથદ્વારામાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જે બાદ વડાપ્રધાન આબુ રોડ પર જનસભાને સંબોધિત કરવા જશે.
जनहित से जुड़ी हर चीज को वोट के तराजू से तौलने वाले कभी लोगों का भला नहीं कर सकते। यही वो सोच है, जिसने दशकों तक राजस्थान सहित देश के कई हिस्सों को विकास से दूर रखा। pic.twitter.com/53Chvb4zvY
— Narendra Modi (@narendramodi) May 10, 2023
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir