બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / PM Modi landed at the exact spot where Dwarka sank, offered this item to Dwarka

ગુજરાત / બરાબર જે ઠેકાણે દ્વારકા ડૂબી હતી તે ઠેકાણે ઉતર્યાં PM મોદી, દ્વારકાધીશને અર્પણ કરી પ્યારી ચીજ

Hiralal

Last Updated: 03:50 PM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી દ્વારકામાં હજારો વર્ષ પહેલા ડૂબેલી પ્રાચીન દ્વારકા નગરીને શ્રદ્ધાસૂમન અર્પણ કરવા માટે ઊંડા પાણીમાં ઉતર્યાં હતા.

પ્રધાનમંત્રી મોદીએ આજે ડૂબેલી દ્વારકા નગરીને શ્રદ્ધાજંલિ આપી હતી. આ માટે પીએમ મોદી અરબી સમુદ્રમાં બરાબર એ ઠેકાણે ઊંડા પાણીમાં ઉતર્યા હતા જે ઠેકાણે દ્વારકા નગરી ડૂબી હોવાનું કહેવાય છે. પીએમ મોદી તેમની સાથે એક ખાસ ચીજ પણ લઈ ગયાં હતા. આ ચીન કૃષ્ણ કન્હૈયાને ખૂબ વ્હાલી હતી. 

સ્કૂબા ડાઈવિંગ કર્યું
પીએમ મોદીએ સ્કૂબા ડાઈવિંગ કરીને ઊંડા પાણીમાં ઉતર્યાં હતા અને કૃષ્ણ કન્હૈયાને મોરપીંછ અર્પણ કર્યાં હતા. ઉલ્લેખનીય છે કે કૃષ્ણ કન્હૈયાને મોરપીંછ ખૂબ પ્રિય હતા અને ભગવાનની ભક્તિ તરીકે ભક્તો તેમને મોરપીંછા અર્પણ કરે છે. 

સોનાની નગરીને શ્રદ્ધાંજલિ આપતાં શું બોલ્યાં પીએમ મોદી 
પ્રધાન મંત્રી મોદી આજે દ્વારકાના દરિયાના ઊંડા પાણીમાં ઉતર્યાં હતા અને તે ઠેકાણે પૂજા અર્ચના કરી જે ઠેકાણે સોનાની દ્વારકા નગરી ડૂબી હોવાનું કહેવાય છે. પીએમ મોદી પોતાની સાથે મોરપંખ પણ લઈ ગયાં હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. પીએમ મોદીએ કહ્યું, 'હું ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકાધામને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશના રૂપમાં બિરાજમાન છે. અહીં જે પણ થાય છે તે દ્વારકાધીશની મરજીથી જ થાય છે. મેં દરિયામાં ઊંડે સુધી જઈને પ્રાચીન દ્વારકાજીને જોયા. પુરાતત્ત્વવિદોએ સમુદ્રમાં તે દ્વારકા વિશે ઘણું લખ્યું છે. કહેવાય છે કે ભગવાન વિશ્વકર્માએ પોતે આ દ્વારકાનગરીનું નિર્માણ કર્યું હતું. આજે મારું હૃદય અહોભાવથી ભરાઈ ગયું છે. હું અભિભૂત થઈ ગયો છું. દાયકાઓથી જે સપનું સેવવામાં આવ્યું છે અને આજે તે પવિત્ર ભૂમિને સ્પર્શ કરીને પૂર્ણ કરવામાં આવ્યું છે. 

કેવી રીતે નિર્માણ થયું દ્વારકા નગરીનું 
લોકકથા અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકા નગરીની સ્થાપના કરવા માટે સમુદ્રમાંથી એક સ્થળ માંગ્યું હતું. ભગવાનની આ વિનંતી દરિયા દેવ ન અવગણી શક્યાં અને તેમની ઈચ્છાનુસાર એક સ્થળ સોંપી દીધું. આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રમાંથી નીકળેલા સ્થાન પર દ્વારકા શહેરનું નિર્માણ કર્યું. કહેવાય છે કે આખી નગરી સોનાની બનેલી હતી. 
મહાભારતના યુદ્ધ પછી ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકા પાછા ફર્યા ત્યારે તેમણે જોયું કે પરિવારના સભ્યો સંપત્તિ માટે અંદરોઅંદર લડી રહ્યાં છે અને તેમનામાં નફરત પણ વધી રહી છે ઘણું સમજાવવા છતાં પણ સફળ ન થતાં કન્હૈયા ખુબ દુખી દુખી રહેવા લાગ્યાં આ પછી ભગવાન શ્રીકૃષ્ણ ખબર પડી હતી કે પોતે હવે સદેહે રજા લઈ જોઈએ અને વૈકુઠવાસમાં પાછા જવું જોઈએ. આ શુભ ઘડી પણ એક દિવસ આવી. 

કેવી રીતે ડૂબી ગઈ સોનાની દ્વારકા 
એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ સોમનાથ પાસે ભાલકાની નદી કિનારે બેસીને વાંસળી વગાડી રહ્યા હતા ત્યારે એક પારધીએ હરણ સમજીને તેમને તીર માર્યું હતું જે તેમના પગે વાગ્યું હતું. તીર ઝેરવાળું હોવાથી ભગવાનના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું હતું અને તેમને ખબર પડી કે તેમનો અંતકાળ હવે નજીકમાં છે. જોકે ભગવાને પોતે જ આ સ્થિતિ નિર્મિત કરી હોવાનું પણ કહેવાય છે. પોતાનો અંત નજીક જાણીને ભગવાને દરિયા દેવને તેમની જગ્યા પરત લેવા વિનંતી કરી. આના થોડા સમય બાદ તેમનું અવસાન થયું. જ્યારે ભગવાન હરિ તેમના માનવ અવતાર પૂર્ણ કર્યા પછી ક્ષીર સાગરમાં પાછા ફર્યા, ત્યારે સમુદ્ર દેવે વિસ્તાર કર્યો અને સમગ્ર દ્વારકા શહેરને પોતાના આલિંગનમાં લીધું (ગુજરાતની દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ). આ સાથે સોનાથી બનેલી દ્વારકા નગરી કાયમ માટે દરિયામાં ડૂબી ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ