પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાલકટોરા સ્ટેડિયમમાંથી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહેલ છે. જેમાં રુસ નાઇઝીરિયા નેપાલ સહિતનાં વિદેશી વિદ્યાર્થીઓ હાજર છે. જેમાં પીએમ મોદીએ પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિઝને યાદ કર્યા. સ્વ. જ્યોર્જ ફર્નાન્ડિઝનાં દેશ પ્રત્યેનાં કામોને પણ પીએમ મોદીએ યાદ કર્યા. પીએમ મોદીએ સ્વ. જ્યોર્જ ફર્નાન્ડિઝને શ્રધ્ધાંજલી પાઠવી.
પીએમ મોદીએ 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીએ સાથે સંવાદ કરતા જણાવ્યું કે
મારી સાથે લઘુ ભારત: PM
મારા માટે આ કાર્યક્રમ કોઇને ઉપદેશ આપવાનો નથી: PM
તમારી જેમ હું પણ તણાવમુક્ત જીવન જીવવા માંગુ છું: PM
પરીક્ષાનું મહત્વ છે જેને કોઇ નકારી શકે નહીં: PM
બોર્ડની પરીક્ષા જીવનની છેલ્લી પરીક્ષા નથી હોતી: PM
સમગ્ર જીવન જ એક પરીક્ષા છે: PM
પરીક્ષાઓની બહાર પણ એક મોટી દુનિયા: PM
જીંદગીનું નામ જ ગતિ અને સપનાઓ: PM
રમકડાંઓ તૂટી જાય તો બાળપણ મરતું નથી: PM
માતા-પિતાની વાતોને ધ્યાનથી સાંભળવી જોઇએ: PM
બોર્ડની પરીક્ષાને ક્લાસની પરીક્ષા સમજો જિંદગીની નહીં: PM
માતા-પિતા પોતાનાં અધુરા સપના છોકરાઓ પર ના થોપે: PM
અપેક્ષા વ્યાજબી પણ દબાણ પરિસ્થિતી બગાડે છે: PM
જરૂરી નથી કે તમને જે જમવાનું પસંદ છે એ બીજાને પણ હોઇ: PM
માતા-પિતા 7-8 વર્ષ પછી બાળકની ગતિવિધિઓ પર ઓછું ધ્યાન કેન્દ્રિત કરે છે: PM
વાલીનાં ઓનલાઇન ગેમનાં પ્રશ્ન પર PM મોદીએ હાસ્યાસ્પદ ઉત્તર આપ્યો.
યે PUB-G વાલા હૈ ક્યાં?: PM
માતા-પિતા બાળકો સાથે ટેક્નોલોજીને લઇને પણ ચર્ચા કરે: PM
ટેક્નોલોજી આપણી વિચારશક્તિને સીમિત કરતી હોય તો ચિંતાનો વિષય: PM
રમત પણ બાળકોનાં જીવનનો હિસ્સો હોવી જોઇએ: PM
ઓનલાઇન ગેમ સમસ્યા પણ છે અને સમાધાન પણ: PM
હવે બાળકો પહેલાની જેમ રમત નથી રમતા: PM
પીએમ મોદીએ ગુજરાતી કહેવતનો કર્યો ઉલ્લેખ "નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન": PM
લક્ષ્ય હંમેશા ઉંચુ રહેવું જોઇએ: PM
આપણે સૌ પ્રથમ આપણી જાતને આપણી રીતે સમજવી જોઇએ: PM
માતા-પિતા શિક્ષકોની દ્રષ્ટીથી આપણી જાતને ન જોવી જોઇએ: PM
નાના-નાના લક્ષ્યની સીડી બનાવી અંતિમ લક્ષ્ય સુધી પહોંચવું જોઇએ: PM
મારા માટે પણ સવા સો કરોડ દેશવાસી મારો પરિવાર: PM
સમગ્ર દેશ મારો પરિવાર હોવાથી મને થાક નથી લાગતો: PM
તમારા એક સપ્તાહનાં વિતેલા સમયનું અધ્યયન કરો: PM
જીવનમાં ટાઇમ મેનેજમેન્ટ જરૂરી છે: PM
અમીર અને ગરીબ બંને પાસે દિવસમાં 24 કલાક જ હોય છે: PM
થોડું માતાનાં થાક વિશે વિચારો માતાને 24 કલાક ઉર્જા ક્યાથી મળતી હશે?: PM
પરીક્ષાને એક તક માનો: PM
પરીક્ષાને તક માનશો તો તેનો આનંદ ઉઠાવી શકશો: PM
તમારી અંદર ઘણી બધી શક્તિઓ પડેલી છે તેનું અધ્યય કરો: PM
પરીક્ષા તમારી અંદર રહેલા સામર્થ્યને પારખવાની તક: PM
બાળકોને યોગ્ય માર્ગદર્શન નથી મળતું: PM
અલગ-અલગ જગ્યાએથી અલગ અલગ સૂચનો મળે છે: PM
તમારે જીવનમાં શું કરવું છે એ તમારા મગજમાં નક્કી હોવું જોઇએ: PM
વિજ્ઞાન અને ગણિત તરફ જેટલા લોકો આકર્ષિત થવા જોઇએ તે નથી થતા: PM
વિજ્ઞાન અને ગણિત તરફ ઓછા લોકોનું આકર્ષણ એ ચિંતાજનક: PM
વર્ગનાં 2-3 વિદ્યાર્થીઓ પ્રત્યેનો શિક્ષકનો લગાવ અન્ય વિદ્યાર્થી પર ખરાબ અસર કરે છે: PM
વાલી-શિક્ષકોએ બાળકોની બીજા સાથે કોઇ દિવસ સરખામણી ન કરવી જોઇએ: PM
સમૂહમાં ટીકા કરવાનું ટાળવું જોઇએ: PM
મનમાં કોઇ પ્રત્યે નફરત પેદા ના કરો સામેવાળાને જીતવાનું નક્કી કરો: PM
નોલેજ પાછળ દોડશો તો માર્ક્સ આપોઆપ દોડીને આવશે: PM
પરીક્ષામાં પુછાતાં પ્રશ્નો અને જીવન આવતા પ્રશ્નોમાં તફાવત મુદ્દે પણ પીએમએ જવાબ આપતા કહ્યું
આપણે શિક્ષણને જીવનથી અલગ કરી પરીક્ષા સાથે જોડી દીધું છે: PM
શિક્ષકો શિસ્ત શીખવે છે જે પુસ્તકોમાં નથી હોતું પણ જીવનમાં કામ આવે છે: PM
શિક્ષણમાં ગીત-સંગીત સંવેદના નોલેજ બધુ જ પણ આપણે તેને પરીક્ષા સાથે જોડી દીધું છે: PM
માતા-પિતાઓએ ખુલ્લા મને બાળકો સાથે વાત કરવી જોઇએ: PM
માતા-પિતાએ બાળકો સાથે માર્ક્સ સિવાયની પણ વાતો કરવી જોઇએ: PM
વાલીઓએ બાળકોની ગતિવિધિઓને જાગૃતતા સાથે નોટીસ કરવી જોઇએ: PM