બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / PM modi in Parliament during no confidence motion discussion attacked on rahul gandhi speech

સદન / 'ભારત માતાની હત્યા'ના નિવેદન પર PM મોદીનો જવાબ: કહ્યું મનમાં જે હતું એ મોઢા પર આવ્યું છે, સત્તા વગર કેવી ભાષા બોલે છે?

Vaidehi

Last Updated: 07:56 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ સદનમાં રાહુલ ગાંધીની કહેલી વાત પર પ્રહાર કરતાં કહ્યું કે, 'માં ભારતી વિશે જે પણ કહેવામાં આવ્યું તેનાથી દરેક ભારતીયની ભાવનાઓને ઠેસ પહોંચી છે.'

  • PM મોદીએ સદનમાં વિપક્ષ પર પ્રહાર કર્યો
  • માં ભારતીનાં મૃત્યુ પર કરેલી વાતનો વિરોધ કર્યો
  • કહ્યું કેટલાક લોકો ભારત માતાનાં મૃત્યુની કામના કરે છે

PM મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન કેટલાક મુદાઓ પર વિસ્તારથી વાત કરી. તેમણે કોંગ્રેસનાં રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની કહેલી વાત પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે," કેટલાક લોકો ભારત માતાનાં મૃત્યુની કામના કરે છે." PM મોદીએ સદનમાં કહ્યું કે, 'માં ભારતી વિશે જે પણ કહેવામાં આવ્યું તેનાથી દરેક ભારતીયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. મને ખબર નથી પડતી કે આ થઈ શું ગયું છે. સત્તા વગર કોઈની સ્થિતી આવી થઈ જાય છે કે તે સત્તા સુખ વગર જીવી નથી શકતાં. કેવી ભાષા બોલી રહ્યાં છે. '

'કેટલાક લોકો ભારત માતાનાં મૃત્યુની કામના કરી રહ્યાં છે'
તેમણે આગળ કહ્યું કે," ખબર નહીં કેમ પણ કેટલાક લોકો ભારત માતાનાં મૃત્યુની કામના કરી રહ્યાં છે, તેનાથી મોટું દુર્ભાગ્ય બીજું શું હોઈ શકે. આ એ જ લોકો છે કે જે ક્યારેક લોકતંત્રની હત્યાની વાત કરે છે, બંધારણની હત્યાની વાત કરે છે..ખરેખર જે તેમના મનમાં છે તે તેમના મુખમાંથી પણ નિકળે છે."

14 ઑગસ્ટનાં વિભાજનનો ઉલ્લેખ કર્યો
PMએ દેશનાં મૃત્યુને લઈને સદનમાં ઉચ્ચારેલી વાતનો જવાબ આપતાં આગળ કહ્યું કે," હું જાણીને ચોંકી ગયો છું કે કોણ બોલી રહ્યું છે આ બધું...14 ઑગસ્ટનાં પાર્ટિશન થયું હતું જે આજે પણ આપણી સામે ચીસો અને પીડા લઈને આવે છે. જ્યારે ગુલામીની સાંકળ તોડવાની હતી ત્યારે આ લોકોએ માં ભારતીની ભુજાઓ કાપી નાખી. તેના ત્રણ ટુકડાઓ કરી નાખ્યાં.  ક્યાં મુખથી તેઓ આવું બોલવાની હિમ્મત કરે છે."
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ