બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / Patients' families have made serious allegations against the management of Rajasthan Hospital

રાજસ્થાન હોસ્પિટલમાં આગ / દર્દીના પરિજને કહ્યું 'અઢી કલાક સુધી રાહ જોઈ, ગૂંગળામણ થતાં શિફ્ટ કર્યા', ફાયર વિભાગે કહ્યું જો આગ 10 મીટર આગળ વધી હોત તો...

Malay

Last Updated: 12:16 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Hospital Fire News: અમદાવાદના શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના મેનેજમેન્ટ પર દર્દીઓના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓએ જણાવ્યું કે, હોસ્પિટલમાં સવારે 3.30 વાગ્યે આગ લાગ્યા બાદ છેક 6 વાગ્યે શિફ્ટિંગનો નિર્ણય લેવાયો.

  • દર્દીઓના પરિજનોનો રાજસ્થાન હોસ્પિટલ પર આક્ષેપ 
  • દર્દીઓને શિફ્ટ કરવાનો નિર્ણય વહેલા લેવાની જરૂર હતી: પરિજન 
  • આગ વિકરાળ બન્યા બાદ દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા: પરિજન 

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આજે વહેલી સવારથી ભીષણ આગ લાગી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 100થી વધુ દર્દીઓને ઓસવાલ ભવનમાં શિફ્ટ કરાયા છે.  ઓસવાલ ભવનના બીજા અને ત્રીજા માળે નીચે બેડશીટ પાથરી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓના શિફ્ટિંગ બાદ સેટઅપ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ઓસવાલ ભવન ખાતે દર્દીઓ અને પરિવારજનો માટે જમવાની, ચા-નાસ્તો અને પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. 

પરિજનોનો હોસ્પિટલ પર આક્ષેપ 
દર્દીઓના પરિવારજનોએ રાજસ્થાન હોસ્પિટલના મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. દર્દીઓના પરિવારજનોએ કહ્યું કે, હોસ્પિટલે દર્દીઓને શિફ્ટ કરવાનો નિર્ણય વહેલા લેવાની જરૂર હતી. તેઓએ કહ્યું કે, હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ પણ દર્દીઓને મુશ્કેલી નહીં પડે તેવું હોસ્પિટલ તંત્રએ કહ્યું હતું. આગ વિકરાળ બન્યા બાદ દર્દીઓને શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે દર્દીઓને શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. શિફ્ટિંગ દરમિયાન કેટલાક દર્દીને ગુંગળામણ થઈ રહી હતી. 

અઢી કલાક સુધી નિર્ણય ન લઈ શક્યું મેનેજમેન્ટઃ દર્દીના પરિવારજનો
દર્દીઓના પરિવારજનોએ જણાવ્યું કે, હોસ્પિટલમાં સવારે 3.30 વાગ્યે આગ લાગ્યા બાદ છેક 6 વાગ્યે દર્દીઓના શિફ્ટિંગનો નિર્ણય લેવાયો. લગભગ અઢી કલાક સુધી હોસ્પિટલનું મેનેજમેન્ટ નિર્ણય જ ન લઈ શક્યું કે તેઓને શું કરવું છે. અઢી કલાક બાદ અન્ય હોસ્પિટલોમાંથી એમ્બ્યુલન્સ મંગાવીને દર્દીઓનું શિફ્ટિંગ શરૂ કરાયું. તમામને ઓસવાલ ભવન ખાતે ખસેડાયા.  

6 વાગ્યાથી દર્દીઓનું શિફ્ટિંગ કરાયું શરૂઃ ઓસવાલ ભવનના ટ્રસ્ટી 
આગ બાદ દર્દીઓના શિફ્ટિંગ મામલે ઓસવાલ ભવનના ટ્રસ્ટીએ VTV ન્યૂઝને જણાવ્યું કે, સવારે 6 વાગ્યે મને હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટરનો ફોન આવ્યો હતો. જે બાદ 6 વાગ્યાથી દર્દીઓને ઓસવાલ ભવન શિફ્ટ કરવાનું શરૂ કરાયું છે.  100થી વધુ દર્દીઓને ઓસવાલ ભવન ખાતે લાવવામાં આવ્યા છે. તમામ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે અહીં વ્યવસ્થા કરાઈ છે.

હોસ્પિટલના આખું બિલ્ડીંગ લાકડાથી બનાવેલું છેઃ મિથુન મિસ્ત્રી
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ મામલે ફાયર અધિકારી મિથુન મિસ્ત્રીનું પણ નિવેદન આવ્યું છે. તેઓ જણાવ્યું કે, રાજસ્થાન હોસ્પિટલની દિવાલો લાકડાની બનેલી છે. હોસ્પિટલની દિવાલો લાકડાથી કવર કરાઈ છે. હોસ્પિટલમાં જો આગ વધુ પ્રસરી હોત તો મોટું નુકસાન થાત. હોસ્પિટલના આખું બિલ્ડીંગ લાકડાથી બનાવેલું છે. પાકી દિવાલ બાદ બ્યુટીફીકેશન માટે ચારે તરફ લાકડાની દીવાલ બનાવવામાં આવી છે.  જો આગ 10 મીટર વધુ પ્રસરી હોત તો લાકડાની દીવાલ ઝપેટમાં આવી જાત. 

ફાયર અધિકારી મિથુન મિસ્ત્રી

ફાયર વિભાગની 29 ગાડીઓ પહોંચી ગઈ હતી ઘટના સ્થળે 
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફિન હસને સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. MLA કૌશિર જૈન પણ હોસ્પિટલા ખાતે દોડી આવ્યા હતા. હાલ આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ