બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
vtvAdmin
Last Updated: 09:03 PM, 4 April 2019
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઉમેદવારોએ જાહેર કરી દીધા છે ત્યારે રાજ્યમાં સૌથી મોટો મતદાર વર્ગ એવા પાટીદાર સમાજને ટિકિટ આપવા માટે બંને પક્ષોએ લાંબી કશ્મકશ કરી હતી. અંતે આ ચૂંટણીમાં ભાજપે 6 અને કોંગ્રેસે 8 પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠક પર કબ્જો કરનાર ભાજપે તે સમયે 5 પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જ્યારે કોંગ્રેસે માત્ર 4 ઉમેદવારોને ટિકિટ આપી હતી.
પાટીદારોનું ભાજપ વિરોધી મતદાન: ગુજરાતમાંથી 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તેમના અનુગામી તરીકે આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીને શાસન સોંપીને ગયા હતા. ગુજરાતમાં પીએમ મોદીની ગેરહાજરીમાં 2015 બાદ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી માંડીને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 23 વર્ષ બાદ સૌથી ઓછા ધારાસભ્યો સાથે પાતળી બહુમતીથી સરકાર બનાવવી પડી હતી. 2015 બાદ યોજાયેલી વિવિધ ચૂંટણીઓમાં ભાજપને સૌથી મોટો ફટકો પાટીદાર મતદારોનો પડ્યો હતો,. કેમકે આ સમયગાળા દરમિયાન પાટીદાર અનામત આંદોલનના કારણે ગુજરાતમાં ભાજપને બદનામી મળી હતી. અને જેના લીધે પાટીદારોએ ભાજપ વિરોધી મતદાન કર્યું હતું.
કોંગ્રેસનું પાટીદાર સમર્થન: 2015થી 2017 સુધીની વિવિધ ચૂંટણીઓમાં પાટીદારોના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો હતો. છતા પણ લોકસભાની આ ચૂંટણીમાં ભાજપે પાટીદાર મતદારો પર વધુ ધ્યાન ન આપ્યું હોવાનું ઉમેદવારોની પસંદગીથી જણાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસે વધુ પાટીદારોને ટિકિટ આપી છે. એટલું જ નહીં પાટીદારોના યુવા નેતા હાર્દિક પટેલને પણ કોંગ્રેસમાં સામેલ કરી દીધા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ