બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Parliament Special Session 2023 began with PM Modis speech, remembered Indira Gandhi, Nehru, atal bihari vajpeyi for their work

PM Modi Cabinet meeting / સંસદના વિશેષ સત્ર વચ્ચે PM મોદીએ બોલાવી કેબિનેટ બેઠક, સાંજના 6:30 કલાકે થઇ શકે છે મોટું એલાન

Vaidehi

Last Updated: 03:50 PM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર દ્વારા આયોજિત સંસદનાં 5 દિવસીય વિશેષ સત્રની શરૂઆત PM મોદીનાં સંબોધનથી થઈ. આજે સાંથે 6.30 વાગ્યે પ્રધાનમંત્રીએ કેબિનેટ મીટિંગ પણ બોલાવી છે.

  • કેન્દ્ર દ્વારા બોલાવવામાં આવેલ વિશેષ સત્રની આજથી શરૂઆત
  • PM મોદીનાં સંબોધનથી સત્રની શરૂઆત થઈ
  • આજે સાંજે 6.30 વાગ્યે PMએ કેબિનેટ મીટિંગ પણ યોજી

કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલ સંસદનાં 5 દિવસીય વિશેષ સત્રની શરૂઆત થઈ ગઈ છે. સત્રની શરૂઆત PM મોદીનાં સંબોધનથી થઈ. PMએ G20ની સફળતાનો ઉલ્લેખ સદનમાં કર્યો. વિશેષ સત્રનાં પહેલા જ દિવસે સંસદનાં 75 વર્ષોની યાત્રાની ચર્ચા કરી. એટલું જ નહીં આજે સાંજે 6.30 વાગ્યે PM મોદીએ ખાસ કેબિનેટ મીટિંગ પણ યોજી છે. અત્રે ઉલ્લેખનીય  છે કે આ કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે છે.

PM મોદીનાં સંબોધનથી વિશેષ સત્રની શરૂઆત
તેમણે કહ્યું કે આ 75 વર્ષોમાં સંસદની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે દેશનાં સામાન્ય લોકોનો વિશ્વાસ આ સદન પર વધતો ગયો છે. PM અનુસાર લોકતંત્રની સૌથી મોટી શક્તિ એ જ છે કે આ મહાન સંસ્થા પ્રતિ લોકોનો વિશ્વાસ બન્યો રહે. તેમણે કહ્યું કે આપણાં બધા માટે એ ગર્વની વાત છે કે આજે ભારત 'વિશ્વ મિત્ર'નાં રૂપમાં પોતાનું સ્થાન બનાવી શક્યું છે. આજે સમગ્ર વિશ્વ, ભારતમાં પોતાનો મિત્ર શોધી રહ્યું છે, ભારતની મિત્રતાનો અનુભવ કરી રહ્યું છે.

અટલ બિહારી વાજપેયીનો ઉલ્લેખ
PM મોદીએ કહ્યું કે આ સદનમાં પંડિત નહેરુ, શાસ્ત્રીજી, મનમોહન સિંહે પોતાના કાર્યકાળ દરમિયાન દેશને ગતિ આપવાનું કામ કર્યું છે. આજનો દિવસ એ તમામ નેતાઓનો ગુણગાન કરવાનો છે. તેમણે આગળ અટલ બિહારી વાજપેયીને યાદ કરતાં કહ્યું કે હું હંમેશા કહેતો રહ્યો છું કે આ દેશ કેવી રીતે આગળ વધે તેને લઈને આપણે સૌએ સાથે મળીને કામ કરવું જોઈએ. આજે સંસદમાં અટલ બિહારી વાજપેયીની વાત મને યાદ આવી રહી છે. તેમણે કહ્યું હતું કે સરકારો આવશે અને જશે, પાર્ટીઓ બનશે, બગડશે પરંતુ દેશ હંમેશા આગળ વધતો રહેવો જોઈએ.

નહેરુથી લઈ ઈન્દિરા ગાંધીને યાદ કર્યું
PM મોદીએ સદનનાં વિવિધ નિર્ણયોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આ સદને અનેક ઘટનાઓ જોઈ છે. સદને ઈમેરજન્સીથી લઈને સંસદ પર હુમલો બધું જોયું છે. તેમણે કહ્યું કે આ સદન દુ:ખથી છલકાઈ ગયું જ્યારે દેશ તેના 3 પ્રધાનમંત્રીને તેમના કાર્યકાળ દરમિયાન ગુમાવી બેઠું.  નહેરુજી, ઈન્દિરાજી, શાસ્ત્રીજી- ત્યારે આ સદન અશ્રુ ભરેલી આંખોથી તેમને વિદાય આપી રહ્યું હતું.

2047 સુધી દેશને વિકસિત બનાવવાનું છે- PM
તેમણે કહ્યું કે 2047 સુધી દેશને વિકસિત બનાવવાનું છે. તેના માટે જેટલા પણ નિર્ણયો લેવાશે તે તમામ નવા સંસદ ભવનમાં થશે. ઉમંગ અને વિશ્વાસ સાથે આપણે નવા સદનમાં પ્રવેશ કરશું. આ સત્ર ઘણો મૂલ્યવાન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ