બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
Divyesh
Last Updated: 03:15 PM, 12 March 2020
બીજી તરફ શહેરમાં દબાણના કારણે રસ્તા સાંકડા તથા હોઇ નજીકના ફાયરસ્ટેશનથી આગ-અકસ્માતના સ્થળે પહોંચવા ખાસ્સો વિલંબ થઇ રહ્યો છે. આ સંજોગોમાં તંત્રએ પોલીસ વિભાગની પોલીસ ચોકીની જેમ શહેરમાં ફાયર ચોકી બનાવવાની દિશામાં હિલચાલ આરંભી છે. સમગ્ર ગુજરાતમાં અમદાવાદમાં પ્રથમવાર ફાયર ચોકીનો અભિગમ અપનાવાઇ રહ્યો છે.
શહેરમાં તાજેતરાં ચિરીપાલ ગ્રૂપની નંદન એક્ઝિમમાં લાગેલી આગમાં સાત જણા હોમાઇ ગયા હતા. આ સિવાય ઓઢવમાં પણ ભીષણ લાગવાની ઘટના બની હતી. એટલે આગની દુર્ઘટનામાં જાનહાનિ વધી છે. ઉપરાંત રોજબરોજના ફાયર કોલ અને રેસ્ક્યુ કોલ પણ વધતા જાય છે. એક અંદાજ પ્રમાણે ફાયરબ્રિગેડ વિભાગના રોજના ૧૦ થી ૧ર ફાયરકોલ કે રેસ્કયુકોલ આવે છે. આની સામે શહેરમાં કુલ ૧પ ફાયરસ્ટેશન છે.
જમાલપુર, કોતરપુર, મણિનગર, ઓઢવ, શાહપુર, પાંચકૂવા, નરોડા, જશોદાનગર, અસલાલી, નવરંગપુરા, પ્રહલાદનગર, ચાંદખેડા, થલતેજ, સાબરમતી અને દાણાપીઠ એમ કુલ ૧પ ફાયરસ્ટેશન કાર્યરત હોઇ શહેરભરમાં લાગેલી આગ-અકસ્માતની ઘટનામાં લોકોને બચાવવાની કામગીરી કરાય છે. જોકે ફાયર ચોકીના નવા અભિગમથી ફાયર સ્ટેશનને પણ વધારાનો સપોટ મળશે તેમજ આગ-અકસ્માતના સ્થળે તત્કાળ મદદ માટે પહોંચી શકાશે. ફાયર ચોકી બનાવવા માટે ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા શહેરના મોટા ભાગના વોર્ડમાં જમીનની માગણી કરાઇ છે.
જે પૈકી વાસણામાં પ્લોટનું સંપાદન કરાયું છે, નારણપુરામાં સંપાદનની કામગીરી ચાલુ છે. એક અંદાજ મુજબ શહેરમાં ઓછામાં અોછી ૧૦ થી ૧ર ફાયરચોકી ઊભી કરાશે. ફાયર ચોકી માટે ૩પ૦૦થી ૪૦૦૦ ચો.વારનો પ્લોટ જરૂરી હોઇ તેમાં ૧૦,૦૦૦ લિટર ક્ષમતાના બે વોટર ટેન્કર, એક વોટર ટેન્ડર અને એક રેસ્ક્યુ વેનનો સમાવેશ કરાશે. તેમજ રપ થી ૩૦ કર્મચારી માટે સ્ટાફ કવાટર્સ બનાવાશે.
મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓએ હયાત ફાયરસ્ટેશનને લોજિસ્ટિક સપોર્ટ પૂરા પાડવા નવી ફાયરચોકી બનાવવાની સાથે સાથે અમદાવાદના વધેલા ક્ષેત્રફળ અને વસ્તીને જોતા નવાં ફાયર સ્ટેશન ઊભા કરવાની દિશામાં પણ ગંભીરતાથી હિલચાલ આરંભી છે.
જોકે તંત્રના ફાયરચોકી અને ફાયર સ્ટેશનનો અભિગમ આવકાર્ય હોવા છતાં પણ તેની સામે ભરતીની પ્રક્રિયા પણ હાથ ધરવી અગત્યની બનશે. કેમ કે મ્યુનિ. ફાયરબ્રિગેડ વિભાગમાં જાંબાઝ ફાયર જવાનોની પૂરતી સંખ્યા ન હોઇ ફાયર ચોકી કે નવા ફાયર સ્ટેશન માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ન રહે તે જોવાની પણ તંત્રની ફરજ છે તેવું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા