બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Vishnu
Last Updated: 11:11 PM, 13 June 2022
ગુજરાતમાં એક એવો બ્રિજ આવેલો છે. જેની ઉપરથી નિકળતા લોકોને તો ડર લાગે છે.પરંતુ તેની નીચેથી નિકળતા લોકોને પણ ડર લાગે છે. કારણ કે, વિકાસનો બ્રીજ 30 વર્ષમાં જર્જરીત થઈ ગયો છે.. અને જોખમી જાહેર કરાયા છતાં લોકો બ્રિજ પરથી પસાર થવા મજબૂર છે.
રોજ લોકો જોખમી રીતે પસાર થવા મજબૂર
વિકાસનો આ બ્રિજ ક્યા શહેરમાં આવ્યો છે.તે જાણતા પહેલા જરા આ બ્રિજની હાલત જોઈલો.કારણ કે, વિકાસશીલ ગુજરાતમાં આજે પણ આવા બ્રિજ છે. જેના પરથી લોકો જોખમી રીતે પસાર થવા માટે મજબૂર છે.વાત સંસ્કારી નગરી વડોદરાની છે. જ્યાં 30 વર્ષ પહેલા રણોલીથી આઈપીસીએલને જોડતો ઓવરબ્રિજ બન્યો હતો.અને આજે તે બ્રિજની હાલત જર્જરિત છે.બ્રિજ પરથી મોટા વાહનોને પસાર થવાનો પ્રતિબંધ છે.. તેમ છતાં અહીં બેફામ રીતે વાહનો પસાર થઈ રહ્યા છે.. અને શહેરીજનો ડર સાથે બ્રીજને પાર કરવા માટે મજબૂર છે
અનેક રજૂઆતો છતાં કોઈ નથી સાંભળતું
મહત્વનું છે કે, રણોલી બ્રિજનો એક તરફનો ભાગ ધરાશાઈ થતાં તંત્રએ 8 વર્ષ પહેલાં સમારકામની કામગીરી શરૂ કરી હતી.પરંતુ આજે 8 વર્ષ પછી પણ બ્રિજનું કામ પૂરું નથી થયું.કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે.સ્થાનિક લોકોએ બ્રિજ ક્યારે પણ પડી જશે તેવી શંકા વ્યક્ત કરી છે.તો અવાર નવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય કે અધિકારીઓ ફરકતા પણ ન હોવાના આક્ષેપ લગાવ્યા છે.જોકે લોકોના આક્ષેપો બાદ અમે વાઘાડિયાના ધારાસભ્ય સાથે વાત કરી તો તેઓ શું કહી રહ્યા છે. સાંભળો
દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ?
છેલ્લા 30 વર્ષથી મધુ શ્રીવાસ્તવ ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવે છે.અને છેલ્લા 12 વર્ષથી જોખમી બનેલા બ્રિજના કારણે લોકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે.ત્યારે સવાલ એ થાય છે કે, કેમ જર્જરિત બ્રિજનું આજ સુધી સમારકામ ન થયું? બ્રિજ પરથી મોટા વાહનોને મનાઈ છે તો કેમ પસાર થાય છે? લોકોની રજૂઆતોને કેમ ધારાસભ્ય ધ્યાનમાં નથી લેતા? શું 8 વર્ષ સુધી કોઈ બ્રિજનું માત્ર સમારકામ જ થતું રહેશે.? કોની મહેરબાનીથી ગોકળગાઈ ગતિએ 8 વર્ષ સુધી સમારકામ ચાલતું રહ્યું? સવાલો અનેક છે ત્યારે આશા રાખીએ કે, વિકાસની વાતો કરતી સરકાર અને તેના નેતાઓ જરા આ દીશામાં પણ ધ્યાન આપે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime