બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
VTV / ગુજરાત / અમદાવાદ / On the day of Rakshabandhan, the brutal murder of the brother who had gone to buy bhajipau.
Vishal Khamar
Last Updated: 08:47 PM, 31 August 2023
અમદાવાદના બહેરામપુરામાં રક્ષાબંધનના દિવસે જ એક બહેને પોતાના લાડકવાયા ભાઈને ગુમાવી દીધો છે. અગાઉના ઝઘડાની અદાવતમાં પડોશમાં રહેતા બે સગા ભાઈઓએ છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી. રક્ષાબંધનના પર્વની ઉજવણી કરીને હિમાંશુ પરમાર પોતાની બહેન માટે ભાજીપાઉ લેવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારાનો કોઈની સાથે ઝઘડો ચાલતો હતો. મૃતક હિમાંશુ અને તેનો ભાઈ વિશાલ પરમાર ત્યાંથી નીકળ્યા ત્યારે આરોપીઓએ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે બંન્ને ભાઈઓએ છરીના ઘા ઝીકીને હિમાંશુ પરમારની હત્યા કરી દીધી. આ ઘટનાથી પરિવારમાં આક્રંદ છે. ઘરનો એકનો એક કમાતો દીકરાની હત્યા થઈ જતા પરિવાર નિરાધાર બન્યો છે. અને આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે.
અગાઉનાં ઝઘડાની અદાવત રાખીને કરી હત્યા
બહેરામપુરામાં થયેલી હિમાંશુ પરમારની હત્યા કેસમાં પોલીસે બે સગા ભાઈ ધર્મેશ ચુનારા અને મહેન્દ્ર ચુનારાની ધરપકડ કરી છે. આ ઘટનામાં બન્ને ભાઈઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા. તપાસમાં સામે આવ્યું કે મૃતક અને આરોપીઓ એકબીજાના મિત્રો જ હતા. 31 ડિસેમ્બરના દિવસે નવા વર્ષની ઉજવણી વખતે સિગરેટ પીવાને લઈને તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ કોઈ ફરિયાદ નોંધાઇ ન હતી. ત્યાર બાદથી તેઓની વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ હતી. અને તેઓ એકબીજા સાથે સંપર્ક બંધ કરી દીધા હતા. રક્ષાબંધનના દિવસે પણ આરોપીઓએ અગાઉના ઝઘડાની અદાવત રાખીને ફરી ઝઘડો કરીને હિમાંશુની હત્યા કરી દીધી. કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓના ગુનાહિત ઇતિહાસને લઈને તપાસ શરૂ
પોલીસે હત્યા કેસમાં પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસને લઈને તપાસ શરૂ કરી છે. આ હત્યા પાછળ અગાઉના ઝઘડાની અદાવત જ છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે પૂછપરછ શરૂ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir