બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Notice of Kevadia Forest Department to Lalluji & Sons
Shyam
Last Updated: 11:38 PM, 20 May 2021
ADVERTISEMENT
જાણીતી લલ્લુજી એન્ડ સન્સને કેવડિયા વન વિભાગની નોટિસ મળી છે. SOU પાસે ટેન્ટસીટી-1ના સંચાલક લલ્લુજી એન્ડ સન્સને નોટિસ આપવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગની શંકાના આધારે કંપનીના એમ.ડી.ને નોટિસ ફટકારી છે. 7 દિવસમાં હાજર થવા માટે આપવામાં નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. સાગ-ખાખર અનામત પ્રકારના વૃક્ષ મંજૂરી વિના કપાયા હતા. 7 જેટલા ટેન્ટ બનાવામાં વૃક્ષો કાપવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સરદાર પટેલના સ્ટેચ્યુના અનાવરણ સમયે લલ્લુજી એન્ડ સન્સ કંપનીએ ઉભા કરેલા 7 ટેન્ટને લઈ વિવાદ સર્જાયો હતો. વધારાના 7 ટેન્ટ ઉભા કરવા અંગે હવે નોટિસ મોકલવામાં આવી છે. આ ટેન્ટ ઉભા કરવામાં સાગ અને ખાખરના અનામત વૃક્ષોને લઈ નારાજ વનવિભાગે નોટિસ મોકલી છે. જેમાં મંજૂરી વગર વૃક્ષોની કાપણી અને તેના ઉપયોગને લઈ નોટિસ ફટકારી છે. જે તે સમયે 2018માં સરદાર પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કરાયું હતું. આ સમયે ટેન્ટસિટી-1 અને ટેન્ટસિટી 2 બનાવવામાં આવી હતી. આ જ સમયે ટેન્ટસિટી-1ની બાજુમાં લલ્લુજી એન્ડ સન્સ કંપનીએ વધારાના 7 ટેન્ટ ઉભા કર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.