બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Priyakant
Last Updated: 01:34 PM, 13 May 2023
તાજેતરમાં યોજાયેલ તલાટીની પરીક્ષામાં વડોદરાની MS યુનિવર્સિટીના પોલીટેકનિક સેન્ટરમાં 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન ન લીધા હોવાનો ખુલાસો થતાં હડકંપ મચી ગયો છે. આ તરફ હવે સમગ્ર મામલે હસમુખ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ પોલિટેકનિક યુનિટના 8માં બ્લોકમાં આ પ્રકારની ગંભીર બેદરકારી સામે આવી છે. હસમુખ પટેલે કહ્યું કે, ડમી ઉમેદવાર અંગે માહિતી મળશે કે આક્ષેપ થશે તો ચકાસણી માટેના પૂરતા પુરાવા છે. આ સાથે કહ્યું કે, ઉમેદવારની સહી અને તેમના લખાણના પુરાવા અમારી પાસે છે.
જાણો શું હતો સમગ્ર મામલો ?
વડોદરાની MS યુનિવર્સિટીના પોલિટેકનિક યુનિટના 8માં બ્લોકમાં તલાટીની પરીક્ષા દરમિયાન મોટી બેદરકારી સામે આવી હતી. તલાટી પરીક્ષા દરમિયાન સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ ઉમેદવારોના થમ્બ ઇમ્પ્રેશન લેવાનું નક્કી કરાયું હતું. જોકે પોલિટેકનિક યુનિટના 8માં બ્લોકમાં આ પ્રકારની કોઈ કવાયત નહિ કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.
પોલિટેકનિક યુનિટના 8માં બ્લોકમાં યોજાયેલ તલાટીની પરીક્ષામાં 123 ઉમેદવારના થમ્બ ઇમ્પ્રેશન ન લીધા હોવાનો ખુલાસો થતાં અનેક સવાલો ઊભા થયા છે. ઉમેદવારોના થમ્બ ઇમ્પ્રેસન કેમ ન લેવાયા તે મોટો સવાલ બન્યો છે. આ તરફ હવે ડમી ઉમેદવારોને પરીક્ષા આપવા દેવા માટે તરકટ કરાયું હોવાની શંકા પણ સેવાઇ રહી છે. આ સાથે પરીક્ષા ખંડના CCTVના આધારે ઉમેદવારોનું ક્રોસ વેરિફિકેશન કરાશે. જોકે મહત્વનું છે કે, સમગ્ર મામલે કલેક્ટર અતુલ ગોરે તપાસના આદેશ આપી દીધા છે. આ તરફ હવે હસમુખ પટેલનું નિવેદન સામે આવ્યું છે.
શું કહ્યું હસમુખ પટેલે ?
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ મામલે નિવેદન આપતાં કહ્યું છે કે, આ ઘટના વડોદરાની MS યુનિવર્સિટીના પોલીટેકનિક સેન્ટરમાં આ ઘટના બની છે. જેમાં 15 વર્ગખંડમાં OMR શીટમાં અંગૂઠાની છાપ લેવાઈ ના હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ ધ્યાનમાં આવતા 7 વર્ગખંડમા અંગૂઠાની છાપ લેવાઈ હતી. જોકે 8 વર્ગખંડના ઉમેદવારોના અંગૂઠાની છાપ લેવાઈ નથી. તેમણે કહ્યું કે, ડમી ઉમેદવાર અંગે માહિતી મળશે કે આક્ષેપ થશે તો ચકાસણી માટેના પૂરતા પુરાવા છે. ઉમેદવારની સહી અને તેમના લખાણના પુરાવા અમારી પાસે છે.
આ સાથે હસમુખ પટેલે કહ્યું કે, બોર્ડ પ્રતિનિધિ દ્વારા અંગૂઠાની છાપ લેવામાં નથી આવ્યા. પરીક્ષાના બીજા દિવસે આ બનાવ અંગેની જાણ થઈ હોઇ બનાવની સંપૂર્ણ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે કહ્યું કે, બોર્ડ પ્રતિનિધિ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, વડોદરાની ઘટનામાં ગેરરીતિ નહિ પરંતુ બેદરકારી હોય તેવું લાગે છે. બોર્ડ પ્રતિનિધિ એ ઉમેદવારોની અંગૂઠાની છાપ લેવાની ના પાડી હતી. આ સાથે હસમુખ પટેલે જુનિયર કલાર્ક અને તલાટીની ભરતીનું પરિણામ જૂન મહિનામાં આપવાની યોજના છે તેમ કહ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir