બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / no-digital-india-in-sutharpada-in-valsad

NULL / લોકોના જીવનમાં તેજી લાવનાર ડિજિટલ ક્રાંતિ આ ગામ માટે કેમ શાપિત થઇ

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં ડિજિટલ ક્રાંતિ લાવી દેશને સફળતાની ઉંચાઈ પર  લઇ જવા માંગે છે. ડિજિટાઇઝેશન થકી આજે મોટા ભાગના કામો સરળ અને ઝડપી થઇ રહયા છે. જોકે વલસાડ જિલ્લા ના અંતરિયાળ આદિવાસીઓ માટે સરકાર ની આ ડિજિટલ ક્રાંતિ અભિશાપ સાબિત થઇ રહી છે. ડીમોનિટાઇઝિંગ બાદ મહારાષ્ટ્રની હદ પર  આવેલા સુથાર પાડા પંથકના 32 ગામોના ગરીબ આદિવાસી નું જીવન દુભર બની ગયું છે.લોકો ના જીવન માં તેજી લાવનાર ડિજિટલ ક્રાંતિ અહીંના આદિવાસી શા માટે શાપિત થઇ છે.

જિલ્લા ના મુખ્ય મથક વલસાડ થી 85 કિલોમીટર દૂર છે. અહીંના આદિવાસી લોકો ખેતી અને મજૂરી કરી ને જીવન ગુજારે છે. સુખનો રોટલો ખાતા આ લોકો ના જીવન  હાલે પારાવાર મુશ્કેલીઓ આવી છે. છેલ્લા 8 મહિનાથી 32 ગામ વચ્ચે આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકે આ આદિવાસીઓ ના જીવન માં મુશ્કેલિઓ લાવી છે.નોટબંધી બાદ જૂની 500 અને હજારની નોટ આ બેન્કમાં જમા કરાવનાર ખાતેદારો ને પોતાના નાણા પાછા લેવા ભારે મથામણ કરવી પડે છે..નવેમ્બરમાં દેશમાં દરેક બેન્ક ની સામે મોટી ભીડ જોવા મળતી હતી. જોકે સમય વીતતા બેન્ક પર ભારણ ઘટતા હવે ખાતેદારો ને સરળતા થી પોતાના ખાતા માંથી રૂપિયા મળી જાય છે.જોકે સુથારપાડા પંથક માં આવેલ 32 હજાર ખાતેદારો પોતાના ખાતા માંથી નજીવી રકમ ઉપાડવા ભારે હાલાકી ભોગવી રહયા છે.

સુથારપાડા માં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક સામે સવારે 4 વાગ્યા થી ગરીબ આદિવાસીઓ લાઈન લગાવી ઉભા રહે છે અને આશા રાખે જે આજે કદાચ તેમનો નંબર આવે અને ખાતા માંથી રૂપિયા મળી જાય.અપંગ વૃદ્ધ અને શાળા ના વિદ્યાર્થીઓ ની હાલત સૌથી વધારે કફોડી બની છે.લાંબી લચક લાઈનો માં કલાકો ભૂખ્યા અને તરસ્યા ઉભા રહેતા આ લોકો અનેકવાર બેભાન પણ થાય છે.અગાઉ વિધવા પેન્શન જેવી સરકારી યોજના ના રૂપિયા પોસ્ટમેન ઘરે આવી ને આપી જતો હતો .તો વિદ્યાર્થીઓ ને શિષ્ય્વ્રુત્તીના નાણાં  શાળામાંથી મળી જતા પણ હવે ડિજિટલ ક્રાંતિ એ તમામ ને બેન્ક ની બહાર ભિખારી બનાવી દીધા છે.

સ્થાનિક લોકો ની રજૂઆત બાદ ધારાસભ્ય જીતુ ચૌધરી એ પણ રૂબરૂ મુલાકાત લઇ લોકો ની મુશ્કેલીઓ સાંભળી હતી અને તાત્કાલિક બેન્કિંગ માટે મોબાઈલ વેન અથવા અન્ય કોઈ બેન્ક ની શાખા શરુ કરવા માંગ કરી છે.આ મામલે બેન્ક ના મેનેજર પણ સ્વીકારે છે કે બેન્ક ના 32 હજાર ખાતેદારમાંથી રોજ 500 થી 700 ખાતેદાર બેન્ક ના ધક્કા ખાઈ રહયા છે પણ માત્ર 10 ટકા  લોકો ને જ રૂપિયા મળી રહયા છે.નેટનું સર્વર વારંવાર ડાઉન થઇ જતા આ મુશ્કેલી ઉભી થઇ રહી છે.તો બેન્કમાં માત્ર બે કર્મચારી હોવાથી લોકો ના કામ અટવાયા છે.

માત્ર નેટ ની સ્લો કનેક્ટિવિટી ને કારણે 32 ગામ ના ગરીબ આદિવાસી છેલ્લા 8 માસ થી બેન્ક પર ધર્મના ધક્કા ખાઈ રહયા છે.પોતાના જ રૂપિયા મુસીબત ના સમયે ન વાપરી શકનાર લોકો માટે  ડિજિટલ ક્રાંતિ અભિશાપ સાબિત થઇ રહી છે.ત્યારે ડિજિટલ ઇન્ડિયા ની બડાઈ હાંકનાર સરકાર ખરેખર આ ગરીબ અને અભણ આદિવાસીઓ માટે તાત્કાલિક કોઈ નક્કર પગલાં લે તેવી માંગ તીવ્ર બની છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ