બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
Pravin
Last Updated: 07:50 AM, 20 June 2022
નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેંટ ડિરોક્ટોરેટ આજે ફરી એક વાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે પૂછપરછ કરવા જઈ રહ્યું છે. રાહુલ ગાંધી સાથે ઈડીએ અત્યાર સુધીમાં 30 કલાકથી વધારે પૂછપરછ કરી ચુક્યું છે. આજે કોંગ્રેસ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે અને રાહુલ ગાંધી સાથે ઈડીની પુછપરછના વિરોધમાં પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા પાર્ટી સાંસદો સાથે કથિત રીતે દુર્વ્યવહાર તથા ઉત્પીડન પર એક્શન લેશે. આ ઉપરાંત કોંગ્રેસે કહ્યું કે, યુવા વિરોધી અગ્નિપથ યોજના અને રાહુલ ગાંધીને ટાર્ગેટ બનાવામાં મોદી સરકાર બદલાની રાજનીતિ વિરુદ્ધ દેશભરમાં પાર્ટીના લાખો કાર્યકર્તાઓ સોમવારે શાંતિ પૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરશે.
National Herald Case: Rahul Gandhi to appear before ED today, Congress to protest against Centre's 'vendetta politics'
Read @ANI Story | https://t.co/KgzvK5jGn9#RahulGandhi #NationalHeraldCase #CongressProtest pic.twitter.com/o9wU9NI6Bu
— ANI Digital (@ani_digital) June 20, 2022
આપને જણાવી દઈએ કે, ઈડીના અધિકારીઓએ ગુરૂવારે કહ્યું હતું કે, ઈડીએ રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધી હોસ્પિટલમાં ભરતી હોવાના કારણે નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રીંગ કેસ મામલે પૂછપરછ 174થી 20 જીન સુધી ટાળવાની અપીલનો સ્વિકાર કર્યો હતો. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે રવિવારે ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, સોમવારે દેશભરમાં કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓ યુવા વિરોધી અગ્નિપથ યોજનાના વિરોધમાં અને પોતાના નેતા તથા સાંસદ રાહુલ ગાંધીને ટાર્ગેટ બનાવતી મોદી સરકારની પ્રતિશોધની રાજનીતિ વિરુદ્ધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે.
રાષ્ટ્રપતિને મળશે કોંગ્રેસના કેટલાય નેતાઓ
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે, લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી, પી ચિદંબરમ, કેસી વેણૂગોપાલ, અને રમેશ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાષ્ટ્રપતિ કોવિંદ સાથએ મુલાકાત કરશે, અને પાર્ટી કાર્યાલયમાં નેતાઓ સાથે થયેલા કથિત રીતે દુર્વ્યવહારની માહિતગાર કરાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ